Webdunia - Bharat's app for daily news and videos

Install App

શરીરની લટકતી ચરબી ઓછી કરવા રાત્રે સૂતા પહેલા પીવો આ મસાલાનું પાણી

Webdunia
શુક્રવાર, 16 ઑગસ્ટ 2024 (07:28 IST)
જો તમે પણ તમારા વધતા વજનથી પરેશાન છો, તો તેને ઘટાડવા માટે તમારા ડાયેટમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરો જેનાથી તમારું વજન ઘટી શકે છે. રસોડામાં મળતી તજ ખાવાનો સ્વાદ તો વધારે જ છે સાથે જ શરીરની વધારાની ચરબી  પણ ઘટાડે છે. તજનું પાણી તમારું વજન સરળતાથી ઘટાડી શકે છે. આવો જાણીએ કે તમારી વજન ઘટાડવાની યાત્રામાં તજ તમારા માટે કેટલી ફાયદાકારક સાબિત થઈ શકે છે
 
વજન ઘટાડવામાં તજ છે અસરકારક 
તજ ધીમી ચયાપચયને મજબૂત બનાવે છે, જેથી તમે ઝડપથી વજન ઘટાડી શકો. ઉલ્લેખનીય છે તજના એન્ટીઈફ્લેમેટરી અને એન્ટીબેક્ટેરિયલ ગુણો વજન ઘટાડવામાં મદદરૂપ છે.  તેઓ ખોરાક સરળતાથી પચે છે.  એક ચમચી તજમાં 1.6 ગ્રામ ફાઈબર હોય છે જે તમને ડેલી ફાઈબરના ગોલ્સને પ્રાપ્ત  કરવામાં તમારી મદદ કરે છે. પરંતુ સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે એકલા તજથી લાંબા ગાળે વજન ઘટશે નહીં. તેથી, તમારે વધુ સારા આહારની સાથે વર્કઆઉટ પણ કરવું પડશે. જો તમે આ બાબતોનું પાલન કરતી વખતે તજનું સેવન કરો છો, તો તે તમારા વજન ઘટાડવાના લક્ષ્ય સુધી પહોંચવામાં તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
 
રાત્રે તજનો ઉપયોગ કેવી રીતે કરવો:
વજન ઘટાડવા માટે તમે રાત્રે સૂતા પહેલા તજની ચા અથવા તેનું પાણી પી શકો છો. તજને ગરમ પાણીમાં ઉકાળો, તેમાં મધ નાખીને પીવો. જો તમે આ પાણી રાત્રે સૂતા પહેલા અને સવારે ઉઠ્યા બાદ પીશો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે અને તમારું વજન ઝડપથી ઘટશે.
 
 આ સમસ્યાઓમાં પણ છે અસરકારક  
તજ, એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટીઈફ્લેમેટરી  ગુણોથી ભરપૂર, તમારી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. તેમાં પોલીફેનોલ્સ અને પ્રોએન્થોસાયનિડીન્સ મળી આવે છે જે કબજિયાત અને પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે. તજનું પાણી સોજાને ઓછા કરીને  અને સ્વસ્થ રંગને પ્રોત્સાહન આપીને ત્વચાના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તેનાથી ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર થાય છે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments