Webdunia - Bharat's app for daily news and videos

Install App

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

Webdunia
બુધવાર, 1 મે 2024 (00:03 IST)
uric acid
 આજની બદલાતી લાઈફસ્ટાઈલ અને ખરાબ ખાનપાનને કારણે લોકો લાઈફસ્ટાઈલ સંબંધિત બીમારીઓનો શિકાર બની રહ્યા છે.  આમાંનો એક રોગ છે ઉચ્ચ યુરિક એસિડ.  યુરિક એસિડને કિડની દ્વારા ફિલ્ટર કરવામાં આવે છે, પરંતુ જ્યારે કિડની તેને ફિલ્ટર કરી શકતી નથી, ત્યારે તે શરીરના સાંધામાં જમા થવા લાગે છે.  જેના કારણે ધીમે-ધીમે સાંધામાં દુખાવાની સમસ્યા થવા લાગે છે.  દર્દના કારણે લોકોને ઉઠવા અને બેસવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.  તેથી, સમયસર યુરિક એસિડને નિયંત્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.  વધેલા યુરિક એસિડને ઘટાડવામાં કેળા ખૂબ જ ફાયદાકારક છે.  ચાલો જાણીએ કે કેળા યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે કેવી રીતે અસરકારક છે અને તેનું સેવન કેવી રીતે કરવું?
 
યુરિક એસિડમાં ફાયદાકારક છે કેળા માત્ર ખાવામાં જ સ્વાદિષ્ટ નથી પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.  કેળામાં પોટેશિયમ મોટી માત્રામાં જોવા મળે છે જે શરીરમાંથી યુરિક એસિડને પેશાબ દ્વારા દૂર કરે છે.  આ ઉપરાંત, કેળામાં પ્રોટીનની ઓછી માત્રા તેને યુરિક એસિડના દર્દીઓ માટે ખાવા યોગ્ય બનાવે છે અને ઉચ્ચ યુરિક એસિડના સ્તરને સામાન્ય રાખે છે.  આવી સ્થિતિમાં યુરિક એસિડના દર્દીઓએ પોતાના આહારમાં કેળાનો સમાવેશ કરવો જ જોઈએ.
 
 કેળા ખાવાથી આ સમસ્યાઓ  થાય છે દૂર: 
 
પાચનને મજબૂત કરે છે: ફાઈબરથી ભરપૂર કેળું તમારી પાચન તંત્રને સુધારે છે.  વાસ્તવમાં, કેળામાં પેક્ટીન નામનો એક પ્રકારનો ફાઈબર હોય છે જે પાચનને સુધારે છે.  કેળાનું નિયમિત સેવન કરવાથી કબજિયાતમાં પણ રાહત મળે છે.
 
 એનિમિયા દૂર કરે છે: કેળામાં આયર્ન અને ફોલેટ મળી આવે છે જે એનિમિયા દૂર કરે છે.  રોજ કેળાનું સેવન કરવાથી શરીરમાં આયર્નની ઉણપ દૂર થાય છે.  જો તમે એનિમિયાથી પીડિત છો તો તમારા આહારમાં કેળાને ચોક્કસથી સામેલ કરો.
 
આપે છે  એનર્જી : એનર્જીનું પાવરહાઉસ કેળા ખાવાથી તમને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે.  દરરોજ 1 કેળાનું સેવન કરવાથી તમારા શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે.  કેળા તમને દિવસભર એનર્જીથી ભરપૂર રાખે છે.
 
આ રીતે કરો કેળાનું સેવનઃ યુરિક એસિડના દર્દીઓ દિવસમાં 3 થી 4 કેળાનું સેવન કરી શકે છે.  તમે તેને દૂધમાં મિક્સ કરીને પણ સેવન કરી શકો છો.  જો કે, ધ્યાનમાં રાખો કે કેળામાં ઘણી બધી ખાંડ હોય છે અને તેના કારણે બ્લડ સુગર વધી શકે છે.  તેથી, કેળાનું સેવન કરતા પહેલા, તમારે એકવાર ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments