Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિશ્વમાં પાંચ કરોડથી વધુ લોકો આંચકીની બિમારીથી પીડાય છે

Webdunia
મંગળવાર, 18 નવેમ્બર 2014 (15:06 IST)
દર વર્ષે ૧૭ નવેમ્બરે નેશનલ એપિલેટસી ડે અર્થાત આંચકી દર્દ તરીકે ઉજવાય છે તે અન્વયે આ રોગ વિશેની વિસ્તૃત છણાવટ ડો. એ કરી વિવિધ જનજાગૃતિના કાર્યક્રમોની સમજ આપી હતી. હાલ વિશ્વમાં પાંચ કરોડ જેટલા લોકો આ રોગના ભરડામાં આવી ગયા છે.

ઈન્ડિયન મેડિકલ એસોસીએશન તથા ઈન્ડીયીન એપિલેપ્સી સોસાયટી દ્વારા દર વર્ષે ૧૭ નવેમ્બરના દિવસને નેશનલ એપિલેપ્સી ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે એપિલેપ્સી અર્થાત આંચકી કે વાઈથી પીડિત દર્દીઓ તથા તેના સગા સ્નેહીઓ માટે વિવિધ જનજાગૃતી કાર્યક્રમો યોજવામાં આવે છે તેમજ સારવાર અંગેની સમજ આપવામાંઆવે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના તારણ પ્રમાણે હાલ વિશ્વમાં પાંચ કરોડથી વધુ લોકો આંચકીની બિમારીથી પીડાય છે. જે પૈકી ૮૦ ટકા લોકો ભારત જેવા વિકાસશીલ દેશોમાંના છે. આંચકીની બિમારીમાં ૭૦ ટકા કરતા વધુ કેસમાં દવાઓ અકસિર પુરવાર થાય છે પરંતુ દુર્ભાગ્યે અરધા કરતા વધુ લોકો સુધી જાગૃતીના અભાવે આ દવાઓ પહોંચી શકતી નથી તેઓ ગેરમાન્યતાને લીધે, માહિતીના અભાવે કે સાથે સંકળાયેલ પુર્વગૃહની ભાવનાથી સારવારથી દુર રહે છે અને ઓચિંતા રસ્તા પર વાહન ચલાવતા અકસ્માતનો ભોગ બને છે અને ક્યારેક તે જીવલેણ પુરવાર થાય છે.

આંચકીના ઘણા પ્રકારો છે જેવા કે જનરલાઈઝડ ટોનિક ક્લોનિક સિઝર, એબસેન્સ સિઝર,એટોનિકસિઝર, માયક્લોનિક સિઝર, આ ઉપરાંત કેટલાક કેસમાં માથામાં ઈજા પછી કે કેટલાક રસાયણોના ફેરફારથી આંચકી થઈ શકે છે. આ પૈકી જનરલાઈઝડટોનિક ક્લોનિક સિઝર મુખ્ય છે. ખેંચ કે વાઈના લક્ષણો જોઈએ તો વર્તનમાંઅચાનક ફેરફાર થવો એક જ દિશામાં જોઈ રહેવું, થોડી ક્ષણો માટે શારીરિક ગતિવિધિ બંધ થઈ જવી,આંખોના ડોળા ઉપર ચડી જવા, કેટલાક કેસોમાં શરીરમાં ધુ્રજારી આવીને પડી જવું કે શરીરની સમતુલા ગુમાવવી, આંખનું પલકારા મારવું તથા શરીરમાં ઈલેકટ્રીક શોર્ટ જેવા આંચકા અનુભવવા વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. આવું કોઈપણ લક્ષણ હોય તો એપિલેપસી હોઈ શકે.
વધુ જુઓ..

જરૂર વાંચો

ચેતજો- દૂધની ચા વધારે ઉકાળવાથી થઈ શકે છે આ ગંભીર નુકશાન

'જ અક્ષર પરથી છોકરાઓના નામ'

World Vitiligo Day 2024: શા માટે હોય છે સફેદ ડાઘ, જાણો શરૂઆતી લક્ષણ અને સારવાર

એગલેસ ચોકલેટ કેક eggless chocolate cake

monsoon skin care- માનસૂનમાં બની રહેશે ચેહરાની સુંદરતા જો આ ટિપ્સને કરશે ફોલો

વધુ જુઓ..

ધર્મ

ભીષ્મ પિતામહ મુજબ આ પ્રકારનુ ભોજન કરવાથી નહી થાય છે અકાળ મૃત્યુ

Sankashti Chaturthi 2024 Upay: આજે સંકષ્ટી ગણેશ ચતુર્થીના દિવસે જરૂર અજમાવો આ ઉપાયો, તમને મળશે અપાર ધન અને પ્રેમ

Gauri Vrat 2024 Date, Time: ગૌરીવ્રત શુભ તિથિ અને મુહુર્ત

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Kabirdas Jayanti 2024 - કબીરના એ દોહા જે તમારા જીવનને નવો માર્ગ બતાવી શકે છે

Show comments