Webdunia - Bharat's app for daily news and videos

Install App

Guru nanak- ગુરુ નાનક પર નિબંધ

Webdunia
ગુરુવાર, 18 નવેમ્બર 2021 (08:04 IST)
ગુરુ નાનક દેવ શીખ ધર્મના સ્થાપક અને પહેલા ગુરુ હતા. તેઓ એક આધ્યાત્મિક ગુરુ, કવિ અને સમાજ સુધારક હતા. .
ગુરુ નાનક સમાજમાંથી જ્ઞાતિવાદને દૂર કરીને દરેક મનુષ્ય એક સમાન હોવાના વિચારને પ્રાધાન્ય આપ્યું હતું.
તેમણે એક ઇશ્વરની ઉપાસનાને મહત્ત્વ આપ્યું. તેમણે પોતાનો સંદેશ ગુરુબાની તરીકે નોંધીને પોતાના શ્રદ્ધાળુઓ સુધી પહોંચાડ્યો હોવાનું મનાય છે.
 
શીખ ધર્મમાં ઈશ્વર માત્ર એક જ છે એવું માનવામાં આવે છે અને તેમાં શીખ ધર્મના દશેય ગુરૂઓની જન્મ જયંતિને હર્ષોલ્લાસભેર ઉજવવામાં આવે છે. તેમાં પણ શીખ ધર્મના પહેલા ગુરૂ એવા ગુરૂ નાનકસાહેબની જયંતિનું વિશેષ મહત્વ છે. ગુરૂઓનો જન્મ દિવસ ગુરૂ પૂરબ તરીકે પણ ઓળખાય છે. 
 
શીખ ધર્મના સંસ્થાપક ગુરૂ નાનકદેવનો જન્મ 1469 કારતક સુદ પૂનમની તિથિએ લગભગ એક વાગીને ચાલીસ મિનીટે પાકિસ્તાનના શેખુપુરા જીલ્લાના રાય ભોઈ દી તલવંડી ખાતે થયો હતો. તેમના જન્મ દિવસના ઉપલક્ષ્યમાં દર વર્ષે કાર્તક સુદ પૂનમના દિવસે ગુરૂ નાનક જયંતિ મનાવવામાં આવે છે. 
 
તેમનો જન્મ રાત્રિના સમયે થયો હોઈ ગુરૂ નાનક જયંતિની રાત્રે જાગરણ કરવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટીએ આ તહેવારને શીખોનો સૌથી મહત્વનો તહેવાર માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓ રાત્રે કિર્તન અને સત્સંગ કરે છે. 
ગુરૂ મહારાજના પ્રકાશ (જન્મ) સમયે ફૂલોનો વરસાદ કરે છે તેમજ ફટાકડા ફોડે છે અને સામૂહિક પ્રાર્થના કરે છે. પ્રભાતકાળમાં શ્રદ્ધાળુઓ સ્નાનાદિ કરીને પાંચ વાણીનો 'નીત નેમ' એટલે કે દૈનીક પ્રાર્થના કરીને ગુરૂદ્વારા સાહેબમાં ગુરૂ નાનકદેવજીને વંદન કરે છે. 
 
આ દિવસે પોતાની મહેનતની કમાણીનો દસમો ભાગ ગરીબો અને ધાર્મિક કાર્યોમાં અર્પણ કરવાનો તેમજ લંગરમાં જઈને સેવા કરવાનો ખાસો મહિમા છે. 
ગુરૂ નાનકદેવજીએ નીષ્ઠાવાન શીખ લોકોને ત્રણ નિયમોનું પાલન કરવાનું કહ્યું છે. એ ત્રણ નિયમો છે ઈશ્વરની આરાધના, મહેનતની કમાણી અને ગરીબોને દાન. 
 
ગુરૂ નાનકજયંતિના બે દિવસ પહેલા ગુરૂદ્વારાઓમાં ગુરૂ ગ્રંથ સાહેબનો અખંડ પાઠ કરવામાં આવે છે.

 
ગુરુ નાનકને સમગ્ર વિશ્વમાં શીખોના પ્રથમ ગુરુ તરીકે પૂજવામાં આવે છે. કૃપા કરીને જણાવો કે તે ઘણી ભાષાઓના જાણકાર હતા અને તેમણે વિશ્વના વિવિધ સ્થળોની યાત્રા પણ કરી હતી. તો ચાલો જાણીએ તેમની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો.
 
પોતાના 20 રૂપિયાથી સાધુઓને ભોજન કરાવ્યું હતું
ગુરુ નાનક અયોધ્યા ગયા હતા
પોતાના 20 રૂપિયાથી સાધુઓને ભોજન કરાવ્યું હતું
કહેવાય છે કે જ્યારે નાનક દેવ નાના હતા ત્યારે તેમના પિતા કલ્યાણદાસે તેમને 20 રૂપિયા આપીને વેપાર કરવા મોકલ્યા હતા. પરંતુ જ્યારે નાનક પૈસા લઈને જઈ રહ્યા હતા, ત્યારે તેમને રસ્તામાં કેટલાક ભૂખ્યા સાધુ મળ્યા, ત્યારે નાનક દેવે કંઈપણ વિચાર્યા વિના, તેમના પિતા દ્વારા આપવામાં આવેલા 20 રૂપિયાથી તે સાધુઓને ખવડાવ્યું.
 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments