rashifal-2026

અરજીલેખન માટે આટલું સમજો અને યાદ રાખો.

Webdunia
શુક્રવાર, 15 ફેબ્રુઆરી 2019 (13:58 IST)
અરજીલેખન
અરજીલેખન કેવી રીતે કરશો 
* અરજીલેખન ના માળખામાં મુખ્ય બે ઘટકોનો સમાવેશ થાય છે 
1. બાહ્યઅંગ 2. આંતરિક અંગ... 
 
* અરજીલેખનના બાહ્ય અંગમાં ત્રણ બાબતોના સમાવેશ થાય છે. 
1. શરૂઆત 
2. સંબોધન અને 
3. સમાપન 
 
* અરજીલેખનના આંતરિક અંગ ખૂબજ મહત્વનું છે. જેમાં અરજી કરવા પાછળનો હેતુ, અરજીની સંપૂર્ણ વિગત તથા અરજીના હાર્દનો સમાવેશ થાય છે...
* અરજીની શરૂઆતમાં  અરજી લખનારે પોતાનું નામ, પુરૂં સરનામું તથા અરજી કર્યાની તારીખ લખવાની રહે છે. 
 
* ત્યારબાદ સંબોધનમાં, જે અધિકારીને અરજી કરવાની હોય તેનો હોદ્દો, વિભાગ અને કચેરી અને શહેરનું નામ અરજીપત્રમાં ડાબી બાજુએ લખવાના રહે છે. 
 
* ત્યારબાદ અરજીના વિષયના મુદ્દામાં, અધિકારીના પદ વેગેરેના ઉલ્લેખ પછી 'વિષય' એવું મથાળું બાંધી, જે બાબતે અરજી કરી હોય તેનો સંક્ષેપમાં (એક 
 
બે વાકયમાં) નિર્દેશ કરવાનો રહે છે. 
 
* ત્યારપછી અરજીની વિગતો સ્પષ્ટ રીતે રજૂ કરતું મુખ્ય લખાણ લખવાનું હોય છે. જે અરજીનું હાર્દ ગણાય છે. 
 
* મુખ્ય લખાણ લખાઈ જાય પછી, નવા ફકરામાં આ વિષયમાં આપશ્રી ઘટતું કરશો તો હું આપનો આભારી થઈશ'. એવા અર્થવાળું 'આભારદર્શન'નું વાકય 
 
અચૂક લખવાનું રહે છે. 
 
* 'આભારદર્શન પછી અરજી કરનારે 'આપનું વિશ્વાસુ'- એમ લખીને એની નીચે પોતાની સહી અને એની નીચે કૌંસમાં પોતાનું પૂરું નામ લખવાનું રહે છે. 
 
* બીડાણ-અરજી સાથે કોઈ વિગત કે માહિતીના અલગ કાગળો જોડવાના હોય તે 'બીડાણ' લખીને દર્શાવવાના રહે છે. 
 
* ધંધાદારી કે વ્યવસાયિક પત્રોમાં કુશળ સમાચાર જેવી બાબતોને સ્થાન હોઈ શકે નહિ...
* વિષયની રજૂઆત મુજબ પત્રમાં ફકરા પાડવા જોઈએ. પત્ર પરીક્ષકને વાંચવો ગમે એ રીતે સુવાચ્ય હસ્તાક્ષરે અને યોગ્ય જગ્યા રાખીને લખવો જોઈએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાત તટ પર ‘અલ મુખ્તાર’ નૌકા જપ્ત: કરોડોની વિદેશી સિગારેટ સાથે 4 ઇરાની નાગરિકો ઝડપાયા

રાજકોટમાં મેગા ડિમોલિશન ડ્રાઇવ: 1,489 ગેરકાયદેસર મિલકતો સામે કાર્યવાહી

પાકિસ્તાન ટીમ રસ્તા પર, હોટલનું બિલ અને અન્ય વસ્તુઓ ચૂકવવા માટે પૈસા નથી

એરપોર્ટ હાઇજેકિંગ 15 કલાકથી ચાલુ છે... મેક્સિકોમાં 136 કરોડના ઇનામી ડ્રગ તસ્કરની હત્યા, ગુસ્સે ભરાયેલા સમર્થકોએ તોડફોડ અને આગચંપીનો આશરો લીધો

Jalaram Bapa- શ્રી જલારામ બાપાનું જીવન ચરિત્ર

વધુ જુઓ..

ધર્મ

જલારામ બાપા પુણ્યતિથિ

Jalaram Bapa- શ્રી જલારામ બાપાનું જીવન ચરિત્ર

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

શનિ ચાલીસા - shani chalisa gujarati

આગળનો લેખ
Show comments