Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજયના દૂર દૂરના વિસ્તારોમાં છૂટાછવાયા રહેતા પરિવારોને સોલાર દ્વારા વીજળી આપવામાં આવશે

Webdunia
સોમવાર, 30 માર્ચ 2015 (15:30 IST)
રાજયના દૂર દૂરના અને ઊંડાણના વિસ્તારોમાં છૂટાછવાયા રહેતા પરિવારોને સોલર દ્વારા વીજળી આપવામાં આવશે અને આ માટે ખાસ જોગવાઇ પણ કરવામાં આવી હોવાનું ઊર્જા પ્રધાન સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું.

ભાવનગર જિલ્લામાં ઝૂંપડપટ્ટીમાં વીજળીકરણ અંગે તેમ જ અમદાવાદ જિલ્લામાં આ જ યોજના હેઠળ થયેલા વીજજોડાણો અંગેના પ્રશ્ર્નના ઉત્તરમાં ઊર્જા રાજય પ્રધાન ગોવિંદભાઇ પટેલે જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં ૩૧-૧૨-૨૦૧૪ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં ૩૪૩.૧૯ના ખર્ચે ૮૧૩૧ લાભાર્થીઓને અને અમદાવાદ જિલ્લામાં ૨૦૨.૧૭ લાખના ખર્ચે ૪૬૧૩ લાભાર્થીઓને ગૃહવપરાશ વીજજોડાણ આપવામાં આવ્યા છે. આ યોજના હેઠળ કોઇપણ અરજી પડતર નથી. દરિયા કિનારાના ખાડી વિસ્તારોમાં વસતા પરિવારોને વીજળી આપવા અંગે તેમણે જણાવ્યું કે, આઠ થી દસ ખેડૂતો અરજી કરે તો સિંગલ ફેઝ ૨૪ કલાક વીજળી આપવામાં આવે છે. ઝૂંપડપટ્ટીમાં વીજજોડણ માટે કોઇ ચાર્જ લેવાતો નથી. આ માટે લાભાર્થી બી.પી.એલ. હેઠળ નોંધાયેલ હોવો જરૂરી છે. આ ઉપરાંત લાભાર્થી બી.પી.એલ. ન હોય તો પણ ગ્રામ્ય વિસ્તારમાં તેની આવક વાર્ષિક રૂ. ૨૭,૦૦૦/- અને શહેરી વિસ્તારમાં રૂ.૩૨,૦૦૦થી વધુ ન હોવી જોઇએ.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments