Festival Posters

રાજયના દૂર દૂરના વિસ્તારોમાં છૂટાછવાયા રહેતા પરિવારોને સોલાર દ્વારા વીજળી આપવામાં આવશે

Webdunia
સોમવાર, 30 માર્ચ 2015 (15:30 IST)
રાજયના દૂર દૂરના અને ઊંડાણના વિસ્તારોમાં છૂટાછવાયા રહેતા પરિવારોને સોલર દ્વારા વીજળી આપવામાં આવશે અને આ માટે ખાસ જોગવાઇ પણ કરવામાં આવી હોવાનું ઊર્જા પ્રધાન સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું.

ભાવનગર જિલ્લામાં ઝૂંપડપટ્ટીમાં વીજળીકરણ અંગે તેમ જ અમદાવાદ જિલ્લામાં આ જ યોજના હેઠળ થયેલા વીજજોડાણો અંગેના પ્રશ્ર્નના ઉત્તરમાં ઊર્જા રાજય પ્રધાન ગોવિંદભાઇ પટેલે જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં ૩૧-૧૨-૨૦૧૪ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં ૩૪૩.૧૯ના ખર્ચે ૮૧૩૧ લાભાર્થીઓને અને અમદાવાદ જિલ્લામાં ૨૦૨.૧૭ લાખના ખર્ચે ૪૬૧૩ લાભાર્થીઓને ગૃહવપરાશ વીજજોડાણ આપવામાં આવ્યા છે. આ યોજના હેઠળ કોઇપણ અરજી પડતર નથી. દરિયા કિનારાના ખાડી વિસ્તારોમાં વસતા પરિવારોને વીજળી આપવા અંગે તેમણે જણાવ્યું કે, આઠ થી દસ ખેડૂતો અરજી કરે તો સિંગલ ફેઝ ૨૪ કલાક વીજળી આપવામાં આવે છે. ઝૂંપડપટ્ટીમાં વીજજોડણ માટે કોઇ ચાર્જ લેવાતો નથી. આ માટે લાભાર્થી બી.પી.એલ. હેઠળ નોંધાયેલ હોવો જરૂરી છે. આ ઉપરાંત લાભાર્થી બી.પી.એલ. ન હોય તો પણ ગ્રામ્ય વિસ્તારમાં તેની આવક વાર્ષિક રૂ. ૨૭,૦૦૦/- અને શહેરી વિસ્તારમાં રૂ.૩૨,૦૦૦થી વધુ ન હોવી જોઇએ.
વધુ જુઓ..

જરૂર વાંચો

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

Veer bal diwas વીર બાળ દિવસ નિબંધ

Jiju Birthday Wishes- બનેવી જન્મદિવસની શુભકામનાઓ

હનુમાનજીને તેમના 5 પ્રિય પ્રસાદ ચઢાવો, બજરંગબલી મોટામાં મોટા સંકટને દૂર કરશે

વધુ જુઓ..

નવીનતમ

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

આજના રમુજી જોક્સ: શું થયું...?

Govinda birthday- ગોવિંદા વિશે 25 રોચક જાણકારી

મલયાલમ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન, હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર

ગુજરાતી જોક્સ - મંદિરમાં પૂજારી પુરૂષ કેમ ?

Show comments