Webdunia - Bharat's app for daily news and videos

Install App

દેશમાં ૩.૪૩ લાખ લોકો રુપિયામાં આળોટે છે

Webdunia
શુક્રવાર, 25 જુલાઈ 2014 (10:25 IST)
દેશમાં શ્રીમંતોની સંખ્‍યામાં અપ્રતિશત વધારો થયો છે. છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષમાં અલ્‍ટ્રા હાઈ નેટવર્થ ઈન્‍ડિવિજયુએલ (એચએનઆઈ)એટલે કે અત્‍યંત ધનવાન માણસોની સંખ્‍યા વધી છે. આ ત્રણ નાણાકીય વર્ષના ગાળામાં આ પ્રકારના શ્રીમંતોની સંખ્‍યા ૧.૧૭ લાખની હતી તે વધીને ૩.૪૩ લાખ પર પહોંચી છે. એટલે કે તેમાં ૧૬ ટકાનો વધારો નોંધાયો છે, તેમ એક રિપોર્ટમાં જણાવાયું છે.

   રિપોર્ટ પ્રમાણે રૂ. ૨૫ કરોડની રોકાણક્ષમ સરપ્‍લસ જેની પાસે હોય તેને આ કેટેગરીમાં સામેલ કરવામાં આવ્‍યા છે. તે ઉપરાંત, અત્‍યંત ધનાઢ્‍ય લોકો કે જેમાં પ્રોફેશનલોને સામેલ કરવામાં આવ્‍યા છે અને જેમની વાર્ષિક આવક રૂ.૩ કરોડ છે તેમની સંખ્‍યા પણ વધી છે. તેમનું પ્રમાણ ૨૧ ટકા વધ્‍યું છે. આ લોકોની આવક વધીને રૂ.૧૦૪ કરોડ થઈ છે જે આગામી ત્રણ વર્ષમાં વધીને રૂ.૪૦૮ કરોડ થાય તેમ કોટક ગ્રુપ અને અર્નેસ્‍ટ એન્‍ડ યંગના અહેવાલમાં જણાવ્‍યું છે.

   દેશમાં સંપત્તિનું સર્જન કરનારાઓની સંખ્‍યામાં નોંધનીય વધારો થયો છે અને તેઓ આગામી વર્ષોમાં વધુ સંપત્તિનું સર્જન કરશે. દેશમાં આત્‍યંતિક મૂડીવાદ વધી રહ્યો છે તેવી ટીકાઓ અને સવાલો વચ્‍ચે આ રિપોર્ટમાં જોકે, આ લોકોએ કેવી રીતે વેલ્‍થ ક્રિએશન કર્યું તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments