Webdunia - Bharat's app for daily news and videos

Install App

દેશમાં કોરોનાથી બચવા એરપોર્ટ ઓથોરિટીએ નવી ગાઈડલાઈન કરી જાહેર, પ્લેનમાં મુસાફરી કરતા પહેલા જાણો બદલાયેલા નિયમો

દેશમાં કોરોનાથી બચવા
Webdunia
ગુરુવાર, 12 મે 2022 (11:20 IST)
કોરોના સંક્રમણની ચોથી લહેર આવવાના ભય વચ્ચે હવે રેલવે પછી એયરપોર્ટ અથૉરિટીએ પણ કડક પગલા ઉઠાવતા નવી ગાઈડલાઈન જાહેર કરી છે.  કોરોનાની આ ગાઈડલાઈન રજુ થયા બાદ હવે વિમાન મુસાફરોને અથોરિટી તરફથી રજુ આદેશોનુ પાલન કરવુ અનિવાર્ય રહેશે.
 
હવે મુસાફરોએ મુસાફરી દરમિયાન માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. આ સાથે, કોરોના દિશાનિર્દેશો અંગે રજુ કરાયેલ ગાઈડલાઈન મુજબ જ મુસાફરી કરવાની ફરજ પડશે. આ નિયમો માત્ર મુસાફરો માટે જ નહીં પરંતુ પરિસરમાં કામ કરતા કર્મચારીઓ તેમજ અન્ય વિભાગો માટે પણ ફરજિયાય માન્ય રહેશે. અન્યથા, સંબંધિતો સામે કાર્યવાહી કરવામાં આવશે અથવા તેમને મુસાફરી કરવાની મનાઈ થઈ શકે છે.
 
દેશમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા હવે એરપોર્ટ ઓથોરિટીએ મંગળવારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. વારાણસીના વાતપુરના લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી લેટર રજુ કરીને કોરોનાથી બચવા માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. કોવિડની ચોથી લહેરના સંક્રમણની શક્યતાઓને દૂર કરવા માટે, મંગળવારથી DGCA (ડિરેક્ટોરેટ ઑફ સિવિલ એવિએશન સિક્યુરિટી) ની સૂચના પર, એરપોર્ટ ઓથોરિટીએ તમામ એરલાઇન્સ અને કર્મચારીઓને દિશાનિર્દેશોનું પાલન કરવા અને મુસાફરો પાસેથી કરાવવા માટે આદેશ આપ્યો છે. 
 
કોરોના ગાઈડલાઈન્સ જાહેર થયા બાદ મંગળવારે કેમ્પસમાં ભારે સખ્તાઈ જોવા મળી હતી. એરલાઇન્સે તેમના કાઉન્ટર પર સેનિટાઇઝર મુક્યા હતા અને મુસાફરોને માસ્ક પણ આપવામાં આવ્યા હતા. એરપોર્ટ ડાયરેક્ટર આર્યમા સાન્યાલે કહ્યું કે કોરોનાના ચોથા લહેરની સંભાવનાને ટાળવા માટે મુખ્યાલય તરફથી નવી ગાઈડલાઈન આવી છે, જે મંગળવારથી લાગુ કરવામાં આવી છે. વિભાગ દ્વારા સૂચના મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

દૂધીનો હલવો બનાવવાની રીત

તેનાલી રામા અને જાદુગર

જો તમે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરી રહ્યા છો, તો જાણો શું ખાવું અને શું ન ખાવું? નબળાઈ ન લાગે તે માટે

આ નવરાત્રીમાં માતા રાણીને અર્પણ કરો સીતાભોગ, જાણો રેસિપી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

એમ્પુરાનમાંથી હટાવાશે ગુજરાત રમખાણોના સીન, રાજકીય વિવાદ વચ્ચે અભિનેતા મોહનલાલે માંગી માફી

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

આગળનો લેખ
Show comments