1000ના નોટને બજારમાં હવે નથી ચાલી રહી. આ જ રીતે 500ના નોટની પણ આજે અંતિમ તારીખ છે. જો તમારી પાસે પણ 500ના નોટ છે તો તેને આજે ચલાવી લો નહી તો પછી 31 ડિસેમ્બર સુધી બેંકમાં જમા કરાવી દો. મતલબ આજ પછી તમારી પાસે 500ના જૂના નોટને ચલાવવાનો એક જ વિકલ્પ બચશે. બેંકમાં જમા કરાવવાનું.
જો તમારી પાસે 500ના જૂના નોટ છે તો તેને આજે રાત્રે 12 વાગ્યા સુધી ઉપયોગ કરી લો. કારણ કે ત્યારબાદ તે ક્યાય નહી ચાલે. નાણાકીય મંત્રાલયે બુધવારે કહ્યુ કે જૂના 500ના નોટ ચલાવવા માટે આપવામાં આવેલ છૂટ 15 ડિસેમ્બર કે ગુરૂવાર અડધી રાત સુધી માટે છે. આર્થિક મામલાના સચિવ શશિકાંત દાસે બુધવારે ટ્વીટ કરી કહ્યુ કે મીડિયાના એક ગ્રુપ દ્વારા એ સમાચાર ચલાવવા કે નોટ 14 ડિસેમ્બર સુધી ચાલશે એ ખોટી છે.
સરકારે 500 રૂપિયાના જૂના નોટના ઉપયોગની 15 ડિસેમ્બર સુધી છૂટ આપી રાખી હતી અને ગુરૂવાર પછી આ નોટ 30 ડિસેમ્બર સુધી કોઈપણ બેંકમાં જઈને જમા કરાવી શકો છો. 500ના જૂના નોટ આગામી 31 માર્ચ સુધી બદલી શકાશે. આ માટે રિઝર્વ બેંક ઓફ ઈંડિયા જવુ પડશે. બીજી બાજુ 30 ડિસેમ્બર સુધે તેને તમારા બેંક ખાતામાં જમા કરાવવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. પણ આ નોટો ચલાવવા માટે ગુરૂવારનો દિવસ છેલ્લો છે. આ પહેલા 24 નવેમ્બરના રોજ 1000ના જૂના નોટ ચલણમાંથી બહાર કરવામાં આવ્યા હતા.