Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યમાં રિલાયન્સના 160 પંપ પર પેટ્રોલનું વેચાણ બંધ કરવામાં આવ્યું

Webdunia
સોમવાર, 16 મે 2022 (08:58 IST)
ક્રૂડની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારાને કારણે રાજ્યભરમાં આવેલા રિલાયન્સના 160 પેટ્રોલ પંપ પરથી પેટ્રોલનું વેચાણ બંધ કરાયું છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત વધતા દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો આસમાને પહોંચ્યા છે. વધતા ભાવોની આડઅસર જોવા મળી રહી છે.રવિવારે અમદાવાદ સહિત રાજ્યના રિલાયન્સ પેટ્રોલ પંપથી પેટ્રોલનું વેચાણ બંધ કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં રિલાયન્સના 160 પેટ્રોલ પંપ છે. અમદાવાદમાં રિલાયન્સ પેટ્રોલ પંપ પર ટી-વ્હીલરમાં માત્ર એક લિટર જ્યારે ફોર-વ્હીલરમાં 500 રૂપિયાનું પેટ્રોલ પૂરી આપવામાં આવતું હતું.

ગુજરાત પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખે આ અંગે જણાવ્યું હતું કે, રિલાયન્સ ઉપરાંત ખાનગી ક્ષેત્રના એસઆર કંપની અને સેલ કંપનીના પણ પેટ્રોલ પંપ છે. જે મુશ્કેલી રિલાયન્સને પડી રહી છે તે આ કંપનીઓને પણ પડવાની છે.​​​​​​​ રાજ્યમાં એસઆરના આશરે 1500 અને સેલના આશરે 60 પેટ્રોલ પંપ છે. રાજ્યમાં આશરે 4 હજાર સરકારી કંપનીના પેટ્રોલ પંપ છે. હાલ સરકારી પેટ્રોલ પંપ પર ઝાઝી અસર જોવા મળશે નહીં. 2008માં પણ રિલાયન્સ પેટ્રોલ પંપ બંધ થયાં હતાં.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments