Webdunia - Bharat's app for daily news and videos

Install App

સીંગતેલના ભાવમાં વધારો થતા ગાંઠિયાના ભાવમાં 40 રૂપિયાનો થયો વધારો

Webdunia
શુક્રવાર, 25 માર્ચ 2022 (12:59 IST)
કોરોનાથી કરવામાં આવેલા લોકડાઉનના મારમાંથી હજુ બેઠાં થવાયું નથી ત્યાં જીવન ઉપયોગી તમામ ચીજ વસ્તુઓના ભાવમાં વધારાથી તમામ રીતે બજેટ ખોરવાઈ ગયું છે. સિંગતેલ, કપાસિયા તેલ સહિત ખાદ્યતેલના ભાવમાં વધારો થવાની અસર દરેક ફરસાણ પર થઈ છે. પણ સૌરાષ્ટ્રમાં આ ભાવ વધારો સીધો પહેલા ગાંઠિયાની ડીશને અસર કરે છે. 
 
ગુજરાતીઓ સવારે ચા સાથે ગાંઠિયા-ફાફડા ખાવાના શોખીન હોય છે અને તેમા પણ સૌરાષ્ટ્રવાસીઓના રવિવારની શરૂઆત સવારે ગાંઠિયાથી થાય છે. પણ હવે દર રવિવારે ગાંઠિયા ખાવા નહીં પોસાય. ખાસ કરીને રાજકોટની સ્વાદપ્રેમી જનતાએ હવેથી ગાંઠિયા ખાવા માટે વધારે પૈસા ચૂકવવા પડશે. કારણ કે સિંગતેલમાં ભાવ વધારો થતા ગાંઠિયાના ભાવમાં રૂ. 40નો સીધો ભાવ વધારો કરવામાં આવ્યો છે.
 
હવે ગાંઠિયા રૂ.360થી 400ના કિલો થયા છે. એટલે હવે સવારે ગરમાગરમ ગાંઠિયા ખાવા માટે વધારે પૈસા ચૂકવવા પડશે. મધ્યમવર્ગની મુશ્કેલીમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને જીવનજરૂરી તમામ ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતા સામાન્ય માણસની કમર આર્થિક રીતે હવે તૂટવા પર છે.  ગુજરાતી થાળીમાં ફરસાણ વગર ન ચાલે. એટલે આ એક વાનગીમાં ભાવ વધારાથી કાઠિયાવાડી થાળી પણ મોંઘી થાય એવી પૂરી સંભાવના છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, તેણે છોકરીને કરી પ્રેગનેંટ

આગળનો લેખ
Show comments