Webdunia - Bharat's app for daily news and videos

Install App

Jio નો લોગો લગાવી લોટ વેચતી હતી કંપની, ચાર લોકોની ધરપકડ

Webdunia
ગુરુવાર, 21 જાન્યુઆરી 2021 (23:46 IST)
સુરત પોલીસે રિલાયન્સ જિયોના ટ્રેડમાર્કનો ખોટો ઉપયોગ કરવાના કેસમાં ચાર લોકોની ધરપકડ કરી છે. આરોપી જિયો ટ્રેડમાર્કનો ગેરકાયદેસર ઉપયોગ, ઘઉનો લોટ વેચવા માટે કરતા હતા. પોલીસને બુધવારે મળેલી એક ફરિયાદના આધારે સુરત શહેરમાંથી આ ધરપકડ કરવામાં આવી છે. સુઅરતના 'સચિન પોલીસ સ્ટેશ'મા6 જિયો બ્રાંડ નામ અને તેના લોકોનો ઉપયોગ કરીને ઘઉંનો લોટ વેચવાના કેસમાં રાધાકૃષ્ણન કંપની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. 
 
સુરત ઝોન 3ના ડીસીપી વિધિ ચૌધરીએ જણાવ્યું કે ટ્રેડમાર્ક અધિનિયમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે 'રિલાયન્સ જિયોએ સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે રામ કૃષ્ણ ટ્રેડલિંક નામની કંપની જિયો ટ્રેડમાર્કનો ઉપયોગ કરી ઘઉંનો લોટ વેચી રહી છે. તો બીજી તરફ ડીસીપીએ જણાવ્યું કે 'ફરિયાદના આધારે ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 
 
પોલીસ ફરિયાદના અનુસાર 8 જાન્યુઆરીના રોજ એક રાષ્ટ્રીય સમાચાર ચેનલ પર એક સમાચાર બતાવવામાં આવ્યા હતા, જેની હેદલાઇન હતી 'જિયો ડેટા બાદ જિયો કા આટા' તપાસમાં ખબર પડી કે સુરતની રાધાકૃષ્ણન ટ્રેડિંગ કંપની પોતાના લોટની બોરીઓ પર જિયોનો લોગો બતાવીને લોટ વેચી રહી હતી. જિયોનો લોકોને ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી રિલાયન્સ જિયોએ સુરત ડીસીપી સાથે આ અંગે પૂછપરછ કરી હતી. 
 
ફરિયાદમાં આગળ કહેવામાં આવ્યું છે કે ફર્મ રાધાકૃષ્ણ ટ્રેડિંગ કંપની ઘઉના લોટની બેગ પર જિયોનો લોકો છાપેલો હતો અને બજારમાં વેચતા હતા. જ્યારે રિલાયન્સ ઇંડસ્ટ્રીઝની જિયો અથવા કોઇ પણ અન્ય કંપની કોઇપણ પ્રકારની કૃષિ ઉપજનો ભાગ નથી. આ તમામ લોકોએ પોતાના નાણાકીય ફાયદા માટે જિયોના ટ્રેડમાર્કનો દુરઉપયોગ કર્યો હતો. એટલા માટે આ તમામ લોકો અને કંપની વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી કરવા માટે પ્રાથમિકી દાખલ કરવામાં આવી છે. આ કેસ ટ્રેડમાર્ક અધિનિયમ 1999 હેઠળ દાખલ કરવામાં આવી છે અને આગળ તપાસ ચાલી રહી છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments