Webdunia - Bharat's app for daily news and videos

Install App

RBI એ પેટીએમ પેમેંટસ બેંક પર રોક લગાવી નાખી છે

Webdunia
ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2024 (11:19 IST)
-  નવા ગ્રાહક જોડવા પર રોક લગાવી
- બેંકિંગ રેગુલેશન એક્ટ હેઠણ આ કાર્યવાહી કરી છે
- આ નિર્ણય તેના વાર્ષિક EBITDA પર રૂ. 300-500 કરોડની અસર કરશે

RBI Paytm Action: રિઝર્વ બેંક ઑફ ઈંડિયા   (RBI) એ Paytmની બેંકિંગ પેમેંટસ બેંક (PPBL)માં નવા ગ્રાહક જોડવા પર રોક લગાવી નાખી છે. RBI એ પેટીએમ પેમેંટસ બેંક પર નિયમોના પાલન ન કરવા ના કારણે બેંકિંગ રેગુલેશન એક્ટ હેઠણ આ કાર્યવાહી કરી છે. 
 
તેની સાથે કજ 29 ફેબ્રુઆરી પછી હાજર ગ્રાહઓના અકાઉંટમા& અમાંઉટસ એડ કરવા પર રોક લગાવી નાખી છે. આ આદેશ પછી પેટીએઅ બેંકમાં નવા  ક્રેડિટ/ ડિપોઝિટ વ્યવહારો થશે નહીં. અને 29 ફેબ્રુઆરી પછી, Paytm પેમેન્ટ બેંક પણ બેંકિંગ સેવાઓ પ્રદાન કરી શકશે નહીં. Paytm બેંક બંધ થવાથી તેના ગ્રાહકોના ખાતા અને બેલેન્સ પર શું અસર થશે? ચાલો અમને જણાવો.  
 
પેટીએમ ગ્રાહકો પર શું અસર પડશે 
જો તમારા જો પેટીએમ વોલેટ, પેમેન્ટ્સ બેંક એકાઉન્ટ, ફાસ્ટેગ વગેરેમાં કોઈ બેલેન્સ છે, તો તમે કોઈપણ પ્રતિબંધ વિના તમારી પાસે બેલેન્સ તરીકે રહેલી રકમ ઉપાડી અથવા વાપરી શકશો.
 
29 ફેબ્રુઆરી પછી, તમે પૈસા ઉમેરી શકશો નહીં અથવા તમારું Paytm વૉલેટ, પેમેન્ટ્સ બેંક એકાઉન્ટ, FASTags, નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (NCMC)ને ટોપ અપ કરી શકશો નહીં.
 
29 ફેબ્રુઆરી પછી, તમે Paytm પેમેન્ટ્સ બેંકમાંથી બેંકિંગ સંબંધિત કોઈપણ સેવાનો લાભ લઈ શકશો નહીં. જેમાં ફંડ ટ્રાન્સફર અને UPI સુવિધાનો સમાવેશ થાય છે.
 
 
Paytm લોન સેવા 29 ફેબ્રુઆરી 2024 પછી બંધ થઈ જશે. આનો અર્થ એ છે કે તમે Paytm એપનો ઉપયોગ કરીને લોન લઈ શકશો નહીં.

પેટીએમનું નિવેદન
તમને જણાવી દઈએ કે RBI દ્વારા પ્રતિબંધ બાદ Paytm દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સૌથી ખરાબ સ્થિતિમાં, આ નિર્ણય તેના વાર્ષિક EBITDA પર રૂ. 300-500 કરોડની અસર કરશે, પરંતુ Paytm તેની નફાકારકતામાં સુધારો કરવા માટે પ્રયત્નો કરવાનું ચાલુ રાખશે.
 
દરમિયાન, બ્રોકરેજ ફર્મ જેફરીઝે પેટીએમ પર તેનું રેટિંગ "ખરીદો" ના અગાઉના રેટિંગથી ઘટાડીને "અંડરપરફોર્મ" કર્યું છે. બ્રોકરેજે સ્ટોક પરના તેના ભાવ લક્ષ્યાંકને અગાઉના રૂ. 1,050થી ઘટાડીને રૂ. 500 કર્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments