- જે નાગરિક રેલવે દ્વારા સુવિદ્યાઓ મેળવે છે તેને નથી જાણ કે તે કેવી રીતે રેલવે પોતાની વ્યવસ્થા જાળવે છે. એક જ ટ્રેક પર રાજધાની પણ ચાલે છે પેસેંજર પણ ચાલે છે અને માલગાડી પણ ચાલે છે
- રોકાણમાં કમીને કારણે રેલવે ને સતત ખોટનો સામનો કરવો પડી રહ્યો છે
- ગાધીજી જે વર્ષે ભારત આવ્યા એ શતાબ્દી વર્ષમાં રેલવેને એક નવી ઊંચાઈ પર પહોંચાડવી જોઈએ
- મે સોશિયલ મીડિયા દ્વારા મુસાફરો સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. સોશિયલ મીડિયા દ્વારા મને 20000 થી વધુ સલાહ મળી. જેમાથી કેટલીક સલાહ મે રેલ બજેટમાં પણ જોડી છે.
- રેલવે મત્રી રેલ બજેટ રજુ કરી રહ્યા છે. -રેલ મંત્રી દેશના કરોડો લોકોની આશાઓને કેવી રીતે પુરી કરશો ? કદાચ તેમની સામે પણ સૌથી મોટો સવાલ આ જ હશે.
-દેશની જનતા જાણવા માંગે છે કે શુ હશે ? શુ રેલ ભાડુ વધી જશે ? શુ સાફ સફાઈ જેવી બુનિયાદી સુવિદ્યાઓ માટે કોઈ જાહેરાત કરશે ? સવાલ અનેક છે પણ જવાબ તેમના ભાષણ પર જ મળી શકશે.
સૂત્રો મુજબ રેલ બજેટમાં ન તો ભાડુ વધારવામાં આવશે કે ન તો ઓછુ કરવામાં આવશે.
બુલેટ ટ્રેન ચાલી શકશે કે નહી ? આ સવાલ પણ સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. જોવાનુ એ છે કે સુરેશ પ્રભુ આ માટે શુ કોઈ જાહેરાત કરશે.
વેબદુનિયા ગુજરાતી સમાચાર પર અમે તમેન બતાવીશુ દરેક ક્ષણની માહિતી. તો અમારી સાથે કનેક્ટ રહો અને જાણો રેલ બજેટ સાથે સંકળાયેલ તમામ લાઈવ સમાચાર