રેલ મંત્રી સુરેશ પ્રભુએ ગુરૂવારે સંસદમાં 2015-16 માટે રેલ બજેટ રજુ કર્યુ. રસપ્રદ વાત એ રહી કે તેમણે બજેટમાં કોઈ નવી ટ્રેનની જાહેરાત ન કરી. જોકે તેમણે કહ્યુ કે સમીક્ષા પછી ટૂંક સમયમાં જ નવી ટ્રેનોની જાહેરાત કરવામાં આવશે.
રેલ બજેટ 2015-16 ની દસ મુખ્ય વાતો
1. રેલ મુસાફરી ભાડુ નહી વધે.
2. 60 દિવસને બદલે 120 દિવસ પહેલા ટિકિટ બુક કરી શકાશે. પેપરલેસ ટિકટિંગ પર જોર
3. નવી ટ્રેનોનુ હાલ એલાન નહી. સમીક્ષા ચાલી રહી છે. આ સત્રમાં થશે એલાન
4. રાજધાની અને શતાબ્દી સહિત બધી ટ્રેનોની સરેરાશ સ્પીડ વધારવામાં આવશે. ગીર્દીવાળી ટ્રેનોમાં વધુ ડબ્બા જોડવામાં આવશે
5. વરિષ્ઠ નાગરિકો માટે લોઅર બર્થની સીટો વધુ અનામત રહેશે.