Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી Mehul Choksi એંટીગુઆથી થયા ગાયબ, ક્યુબામાં હોવાની રિપોર્ટ

પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી Mehul Choksi  એંટીગુઆથી થયા ગાયબ  ક્યુબામાં હોવાની રિપોર્ટ
Webdunia
મંગળવાર, 25 મે 2021 (13:53 IST)
'ભાગેડુ' જાહેર કરાયેલા હીરાના વેપારી મેહુલ ચોક્સી ગાયબ થયા છે. એન્ટિગુઆ પોલીસ હવે તેની શોધ કરી રહી છે. મંગળવારે અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે પણ આ વાતની ચોખવટ કરી છે. તેમણે જણાવ્યુ, 'તે સોમવારે પોતાના ઘરેથી એક પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જમવા માટે નીકળ્યો હતો પરંતુ હજી સુધી તે ઘરે પાછો આવ્યો નથી."
 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર મેહુલની કાર જોલી હાર્બરમાંથી મળી છે પરંતુ તે તેમાં હાજર નહોતો. બીજી બાજુ ચોક્સીના વકીલ અગ્રવાલે કહ્યુ, મેહુલ ચોક્સી ગુમ છે. તેના પરિવારના સભ્યો ખૂબ ચિંતિત છે. તેમણે મને વાતચીત માટે બોલાવ્યો છે. એન્ટિગુઆ પોલીસ હવે આ મામલાની તપાસ કરી રહી છે. મેહુલના પરિવારજનો ખૂબ ચિંતિત છે એંટીગુઆમા રહેનારા ભારતીય ઉદ્યોગપતિ અને  ગીતાંજલિ સમૂહના માલિક મેહુલ ચોક્સીને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ વોન્ટેડ જાહેર કર્યા છે, મેહુલને  4 જાન્યુઆરી, 2018 ના રોજ, એન્ટિગુઆ ભાગતા પહેલા 13,578 કરોડ પીએનબી છેતરપિંડીમાં આશરે 7,080 કરોડ રૂપિયાની હેરાફેરી કરી હતી.
 
પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી છે મેહુલ ચોક્સી 
 
પંજાબ નેશનલ બેંક કૌભાંડનો મુખ્ય આરોપી મેહુલ ચોક્સી વિલફુલ ડિફોલ્ટરોની લિસ્ટમાં ટોચ પર છે. ચોક્સી ભારત છોડીને ભાગી ગયો હતો. તપાસ એજન્સીઓના મુજબ તે કેરેબિયન દેશ એન્ટિગુઆમાં રહે છે. થોડા સમય પહેલા પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સી પર દરોડામાં 14 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. ચોક્સી લાંબા સમયથી એન્ટિગુઆ અને બારબુડામાં રહેતો હતો..

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રોજની આ 5 ભૂલો Vagina ને નુકસાન પહોંચાડે છે, મહિલાઓએ તેને કરવાનું ટાળવું જોઈએ

જલજીરા શિકંજી

છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

છોકરાઓના નામ રામના નામ પર

ટીબી નાબૂદી લક્ષ્યાંકમાં ગુજરાત આગળ, 95% સિદ્ધિ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સફળતા મળી

વધુ જુઓ..

નવીનતમ

ભારતનું આ સુંદર હિલ સ્ટેશન, જ્યાં માત્ર 24 ઘર અને 4 દુકાનો છે

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

આગળનો લેખ
Show comments