Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાવનગર બોટાદના લોકોને મળી દિવાળી ભેટ, અમદાવાદ-ભાવનગર વચ્ચે દોડશે ઈન્ટરસિટી

Webdunia
શુક્રવાર, 21 ઑક્ટોબર 2022 (09:03 IST)
ધનતેરસના પર્વથી અમદાવાદ-ભાવનગર વચ્ચે ઈન્ટરસિટી ટ્રેન દોડતી થઈ જશે, આ અંગેની જાહેરાત બુધવારે સાંસદ ડૉ. ભારતીબેન શિયાળે કરી હતી. આ ટ્રેન એક પ્રકારે ભાવનગર અને બોટાદના લોકો માટે દિવાળીની ભેટ સમાન છે. શનિવારે એટલે કે ૨૨ ઓક્ટોબરના રોજ સવારે ૧૦ કલાકે ભાવનગર રેલવે સ્ટેશન પરથી આ ઈન્ટરસિટી ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે.
 
આ અંગે માહિતી આપતા ડૉ. ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે, ‘અમદાવાદથી ભાવનગર જવાના માર્ગ પર ઘણીવાર જબરદસ્ત ટ્રાફિક જામ જાેવા મળે છે. આટલું જ નહીં આ રોડ પર જીવલેણ અકસ્માત થયો હોવાના કિસ્સા પણ આપણે જાેયા છે’. તેથી, આ ટ્રેન ન માત્ર મુસાફરોના સમયની બચત કરશે પરંતુ અકસ્માતની સંખ્યામાં પણ ઘટાડો થશે. અમદાવાદ અને બોટાદ વચ્ચે જે ગેજ કન્વર્ઝનનું કામ ચાલી રહ્યું હતું તે હવે પૂરું થઈ ગયું છે.
 
અમદાવાદ-ભાવનગર ઈન્ટરસિટી ટ્રેન તાત્કાલિક ધોરણે શરૂ કરવા માટેની માગણી કરવા માટે બુધવારે ડૉ. ભારતીબેને કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને દર્શનાબેન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમની વિનંતી સ્વીકારવામાં આવી હતી અને ધનતેરસથી જ ટ્રેન શરૂ થઈ જશે તેમ કહેવામાં આવ્યું હતું. અમદાવાદ-ભાવનગર ઈન્ટરસિટી ટ્રેન રવિવારે એટલે કે ૨૩ ઓક્ટોબરથી મુસાફરો માટે શરૂ થઈ જશે. ટ્રેન વહેલી સવારે ૬.૧૦ કલાકે ભાવનગરથી ઉપડશે અને ૧૦ કલાકે અમદાવાદના સાબરમતી સ્ટેશને પહોંચશે.
 
આ ટ્રેન ફરી સાંજે ૪ કલાકે ત્યાંથી ઉપડશે અને ૮ કલાકે ભાવનગર પહોંચાડશે. આ સિવાય, ઢસા-જેતલસર લાઈનમાં લુણધરા સુધીનું ઈન્સપેક્શનનું કામ પૂરું થઈ ગયું છે. બાકીનું કામ પૂરું થતાં ટૂંક સમયમાં ઢસા-જેતલસર બ્રોડગેજ લાઈન પણ શરૂ થશે. ભાવનગરમાં હવે એકપણ નેરોગેજ કે મીટરગેજ ટ્રેન નથી. તમામ ટ્રેન બ્રોડગેજ લાઈન થઈ ગઈ છે.

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments