Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 વર્ષ પછી એટીએમ કોઈ કામના નહી રહે

Webdunia
સોમવાર, 23 જાન્યુઆરી 2017 (11:42 IST)
નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતનુ કહેવુ છે કે દેશમાં આગામી ત્રણ વર્ષમાં દેશમાં એટીએમ કોઈ કામના નહી રહે.  એટીએમ પોતાની પ્રાસંગિકતા ગુમાવી દેશે.    આ ઉપરાંત અન્ય ટોચના સરકારી અધિકારીઓએ પણ આ બબાતે પોતાનો પક્ષ મુક્યો. જેના મુજબ દેશ જલ્દી જ મુખ્યત એક કેશરહિત અર્થવ્યવસ્થામાં ફેરવાય  જશે અને સ્થિતિ એવી આવ્સહે કે જેમા આગામી થોડા જ વર્ષમાં રોકડ આપનારી એટીએમ જેવી મશીન પણ કોઈ કામની નહી રહે. 
 
અધિકારીઓમાં આ ભરોસો દેશમાં મોબાઇલ થકી થઇ રહેલ લેવડ-દેવડને કારણે ઉભો થયો છે. તેઓનુ કહેવુ છે કે આટલા ઓછા સમયમાં આવુ થવુ કોઇ મુશ્કેલ નથી કારણ કે આ માટે આધારભુત માળખુ તૈયાર થઇ રહેલ છે.   નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી કાંતે કહ્યુ હતુ કે, ડિજીટલ અર્થવ્યવસ્થા તરફ વધવા માટે નોટબંધી જરૂરી હતી. આપણે એક મોટા ઉલટફેરની વચવામાં છીએ. અત્યારે 85 ટકા લેવડ-દેવડ રોકડમાં થઇ રહ્યુ છે આનાથી કાળા નાણા માટે વધુ અવસર પેદા થઇ રહ્યા છે પરંતુ અમે મોબાઇલ ફોનની દુનિયામાં અસાધારણ વૃધ્ધિ જોઇ છે. મતલબ એ છે કે રોકડ વગરના અર્થતંત્ર માટે આધારભુત માળખુ મોજુદ છે. હાલ 50  થી 60  ટકા લેવડ-દેવડ ફોન થકી થઇ રહેલ છે. એક વખત ચાર મોટી ટેલીકોમ કંપનીઓ ડિજીટલ બેન્કીંગ તરફ વળી જશે એટલે રોકડ વગરના અર્થતંત્રમાં અભુતપુર્વ વધારો જોવા મળશે.

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments