પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તાજેતરમાં જ ગુજરાતમાં નાના વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરી હતી. આ પછી નવા નિમાયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક ચેનલમાં ઈન્ટરવ્યૂ દરમિયાન આ જાહેરાત મુદ્દે સાવ અલગ ટીપ્પણી કરતાં આ મુદ્દો અટવાયો હતો. ત્યારે આજે ગુજરાત સરકારે ટોલ ટેક્સમાંથી મુક્તિની સત્તાવાર જાહેરાત કરી છે. આ સાથે ગુજરાતમાં કાર અને એસ.ટી. બસોને 15મી ઓગસ્ટથી ટોલ ટેક્સમાંથી મુક્તિ મળી જશે. ટેક્સીને પાસિંગને પણ ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી.
આ ટોલ બૂથ પર ટોલટેક્સ યથાવત
અમદાવાદ-વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈવે
અમદાવાદ-ઈંદોર હાઈવે
હજીરા-બારડોલી હાઈવે
રાજકોટ-જૂનાગઢ-પોરબંદર હાઈવે
જૂનાગઢ-સોમનાથ હાઈવે
બામણબોર-સામખીયાળી-કંડલા રોડ
અમદાવાદ રિંગ રોડ પર ટોલટેક્સ યથાવત
-અમદાવાદ રિંગ રોડ પર ટોલટેક્સ મુક્તિ નહીં, કારણ કે તે ઔડા સંચાલિત છે.