Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં રથયાત્રાના દિવસે 158 કરોડના વાહનો વેચાયા

Webdunia
સોમવાર, 26 જૂન 2017 (15:06 IST)
રથયાત્રાના દિવસે નવા વાહનો સહિત નવી વસ્તુઓ ખરીદવાની શહેરીજનોમાં માન્યતા છે.  આ વર્ષે પણ રથયાત્રાના દિવસે  વાહનોનું ધૂમ વેચાણ થયું હતું. રથયાત્રાના દિવસે 158 કરોડથી વધુ કિંમતના નવા ટૂ વ્હીલર અને કારનું વેચાણ થયું હતું. ડીલરોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં રથયાત્રાના દિવસે અંદાજે 4000 જેટલા નવા ટૂ વ્હીલરનું વેચાણ થયું હતું. બાઇકની એવરેજ કિંમત રૂપિયા 65 હજાર ગણીએ તો અંદાજે 26 કરોડના ટૂ વ્હીલર વાહનો વેચાયા હોવાનું મનાય છે. જ્યારે ઓછી અને વધુ કિંમતની મળી અંદાજે  2200 જેટલી કારો વેચાઇ હતી. 

રથયાત્રાના દિવસે પણ ટૂ વ્હીલર અને કારમાં ડિસ્કાઉન્ટની સ્કીમ અને કેટલાક ડીલરોએ ઇન્સ્યોરન્સથી લઇ એસસરીઝ સુધીનો લાભ આપ્યો હતો.   બીજીતરફ આરટીઓમાં વાહન-4 સોફ્ટવેર આવ્યા બાદ સમગ્ર સિસ્ટમ બદલાઇ ગઇ છે. જો કે હાલ વાહનનું વેચાણ તો થઇ ગયું છે. પરંતુ હજી રથયાત્રા અગાઉના ફોર્મની એન્ટ્રીઓ બાકી હોવાથી આજની છ હજારથી વધુ વાહનોની એન્ટ્રીઓ ક્યારે થશે, તેને લઇને પણ ડીલરોમાં ચિંતા છે. આરસીબુકનો વધુ બેકલોગ પણ ઊભો છે. જો કે તહેવારોમાં ડીલરોએ નવા વાહનોનું વેચાણ કરી લીધું છે. 

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments