Webdunia - Bharat's app for daily news and videos

Install App

એટીએમમાંથી નીકળવા માંડ્યા 50ના પણ નોટ

Webdunia
શુક્રવાર, 25 સપ્ટેમ્બર 2015 (11:40 IST)
. જરૂર ન હોય તો પણ હવે લોકોને એટીએમમાંથી જબરજસ્તી 500 રૂપિયા નહી કાઢવા પડે. આવનારા કેટલાક સમયમાં જ વિવિધ બેંકોના એટીએમમાંથી લોકોને 500 રૂપિયા અને 100 રૂપિયાની સાથે 50 રૂપિયાની નોટ પણ મળશે.  બૈંકિંગ સૂત્રોનુ કહેવુ છે કે વિવિધ બેંકોના એટીએમમાં ફક્ત 500 રૂપિયાની નોટ હોવાને કારણે ગ્રાહકોને ખૂબ પરેશાની થાય છે. 
 
જરૂર ન હોવા છતા  પણ તેમને બેંકમાંથી વધુ પૈસા કાઢવા પડે છે. આરબીઆઈએ બેંકોને કહ્યુ કે લોકોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખતા એટીએમમા 50ના નોટ પણ નાખવામાં આવે. જેથી ગ્રાહકોને નાના નોટ પણ મળી શકે. 
 
આરબીઆઈએ સામાન્ય લોકોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખતા બેંકોને આદેશ આપ્યો છે કે એટીએમમાં હવે બે પ્રકારની નોટ રાખવી જરૂરી છે. જો એટીએમમાં 500 રૂપિયાની નોટ રાખવામાં આવે છે તો તેમા 100 રૂપિયાના નોટ હોવા જોઈએ.  આ જ રીતે 100 રૂપિયાના નોટ છે તો તેમા 50 રૂપિયાના નોટ પણ હોવા જોઈએ. 
 
સૂત્રોમુજબ આરબીઆઈની સલાહ પર કેટલીક બેંકોએ પોતાના એટીએમમાં 50 રૂપિયાના નોટ નાખવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.  50 રૂપિયાના નોટ સાથે જોડાયેલ સુવિદ્યા હાલ રાયપુર સ્થિત એસબીઆઈ એટીએમમાં શરૂ કરવામાં આવી છે.  અધિકારીઓનુ કહેવુ છે કે આવનારા દિવસોમાં અન્ય બેંકોમાં પણ આ સુવિદ્યા શરૂ થઈ જશે. 
 
આ માટે બેંકોએ એટીએમમા નોટ નાખવાની સિસ્ટમમાં થોડો ફેરફાર કરવો  પડશે. તેમા થોડો સમય લાગી શકે છે. બેંકોના મુજબ આરબીઆઈના આદેશ હેઠળ એટીએમમા બે મૂલ્યવર્ગના નોટ મુકવા જરૂરી હોય છે. જેવા 1000 સાથે 500 અને 500 સાથે 100 રૂપિયાની નોટ રાખવી જરૂરી હોય છે. હવે બેંકોને 100 રૂપિયા નોટ રાખવી જરૂરી હોય છે. હવે બેંકોને 100 રૂપિયા સાથે 50 રૂપિયાની નોટ મુકવી પડશે. 
 
ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2013માં આરબીઆઈએ બેંકોને એટીએમમાં 10 20 અને 50 રૂપિયાની નોટ પણ નાખવા કહ્યુ હતુ. પણ બેંકોએ આના પર આપત્તિ બતાવી હતી. બેંકોનું કહેવુ  હતુ કે આવુ કરવુ શક્ય નહી રહે. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments