Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mumbai Airport - મુંબઈ એયરપોર્ટ આજે રહેશે બંધ, 6 કલાક સુધી કોઈ ફ્લાઈટ ઉડાન નહી ભરે

Webdunia
મંગળવાર, 17 ઑક્ટોબર 2023 (09:31 IST)
Mumbai Airport Closed - ફ્લાઈટમાં મુસાફરી કરનારાઓ માટે મહત્વના સમાચાર છે. છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA) ના બે રનવે મંગળવારે અસ્થાયી રૂપે બંધ રહેશે. અહીંથી 6 કલાક સુધી કોઈ ફ્લાઈટ ઉપડશે નહીં કે લેન્ડ થશે નહીં. ચોમાસા પછી એરપોર્ટના બંને રનવે પર મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવશે, જેના કારણે 17 ઓક્ટોબરના રોજ સવારે 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી કોઈ ફ્લાઈટ ઓપરેટ થશે નહીં.
 
આજે સાંજ સુધી કામગીરી રહેશે બંધ 
એરપોર્ટ ઓપરેશન્સ સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે "છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA)ની  વ્યાપક ચોમાસા પછીની રનવે જાળવણી યોજનાના એક ભાગ રૂપે, બંને રનવે - આરડબલ્યુવાય 09/27 અને આરડબલ્યુવાય 14/32 17 ઓક્ટોબરના રોજ 11:00 વાગ્યાથી 17:00 વાગ્યા સુધી બંધ રહેશે." નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, "CSMIA એ તમામ મુખ્ય હિસ્સેદારોના સહકારથી જાળવણીની સરળતાની ખાતરી કરવા માટે અસરકારક રીતે ફ્લાઇટ્સ સુનિશ્ચિત કરી છે. CSMIA મુસાફરો પાસેથી સહકાર અને સમર્થનની અપેક્ષા રાખે છે."
 
દરરોજ 900 ફ્લાઇટ્સનું સંચાલન કરે છે
સીએસએમઆઈએના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "આ અંગે એરલાઇન્સ અને અન્ય લોકોને છ મહિના અગાઉ નોટિસ આપવામાં આવી છે. મુંબઈ એરપોર્ટ દરરોજ લગભગ 900 ફ્લાઇટ્સનું સંચાલન કરે છે." એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સુનિશ્ચિત કામચલાઉ બંધનો પ્રાથમિક હેતુ સમારકામ અને જાળવણી પ્રવૃત્તિઓ છે, જે એરપોર્ટના માળખાને ઉચ્ચતમ ધોરણો સુધી જાળવવા માટે જરૂરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પપૈયાના પાન ડેન્ગ્યુમાં સંજીવની ઔષધિ તરીકે કરે છે કામ, પ્લેટલેટ્સ વધારવામાં કરે છે મદદ, જાણો કેવી રીતે પીવું?

શું છે બ્રાઝિલ અખરોટ, જે ખાવાનું ચલણ ભારતમાં વધી રહ્યું છે, તે થાઇરોઇડને નિયંત્રિત કરવામાં અસરકારક છે.

ગુજરાતી વાનગી - ગોળ- પાપડી

Parenting Tips: શું તમારું બાળક આખો દિવસ ફોન પર રીલ્સ અને શોર્ટ્સ જુએ છે? આ ટિપ્સની મદદથી તમે આ આદતથી છૂટકારો મેળવશો

ચોમાસાની ઋતુમાં ભૂલથી પણ ન ખાશો આ ફુડ્સ, વધી જશે ઈંકેશનનો ખતરો, તરત થઈ જાવ એલર્ટ

વધુ જુઓ..

નવીનતમ

'કલ્કિ 2898 AD' એ રચ્યો ઈતિહાસ, શાહરૂખ ખાનની જવાન ને છોડી પાછળ, બની સૌથી ઝડપી 500 કરોડ કમાવનારી ફિલ્મ

અનંત-રાધિકાના સંગીતના સૌથી મોઘા સ્ટાર જસ્ટીન બીબર, વાર્ષિક 2350 કરોડની કમાણી કરનાર જસ્ટિન બીબરની નેટવર્થ કેટલી ?

હવે પ્રભાસની કલ્કિ 2898 એડી પર ભડક્યા મુકેશ ખન્ના, બતાવી આ મોટી ભૂલ, સરકારને કરી વિનંતી

કેન્સરની લડાઈમાં હિના ખાને કપાવ્યા પોતાના વાળ, કીમોથેરેપી પહેલા 6 મિનિટનો વીડિયો જોઈને કંપી જશો તમે

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments