Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ-વારાણસીનું એરફેર ચાર ગણું વધીને રૃ. ૧૧ હજારે પહોંચ્યું

Webdunia
શનિવાર, 13 જાન્યુઆરી 2018 (12:59 IST)
આસ્થાનું પર્વ મકરસંક્રાતિ ૧૪ જાન્યુઆરીએ રવિવારે ઉજવાશે. આ પર્વમાં ગંગાસ્નાનું પણ ખૂબ જ મહાત્મ્ય છે, જેના પગલે અમદાવાદ-વારાણસીના વન-વે એરફેરમાં ચાર ગણો વધારો થતાં તે રૃપિયા ૧૧ હજાર સુધી પહોંચી ગયું છે. સામાન્ય દિવસોમાં અમદાવાદ-વારાણસીનું વન-વે એરફેર રૃ. ૩૫૦૦ની આસપાસ હોય છે. જેની સરખામણીએ શુક્રવારે રાત સુધીમાં આ એરફેર રૃ. ૧૦૮૦૦ સુધી પહોંચી ગયું છે. આમ, મકરસંક્રાતિ વખતે છેલ્લી ઘડીએ વારાણસીમાં ગંગાસ્નાનનું આયોજન થયું હોય તો ચાર ગણું એરફેર ચૂકવવું પડી શકે છે. આ ઉપરાંત ૧૪ જાન્યુઆરીએ તામિલનાડુમાં પોંગલનું પર્વ ઉજવાય છે. જેના કારણે ૧૩ જાન્યુઆરી માટે અમદાવાદ-ચેન્નાઇનું એરફેર રૃ. ૮૭૦૦ થી રૃ. ૧૦૬૦૦ વચ્ચે છે. સામાન્ય દિવસોમાં આ એરફેર રૃ. ૩૫૦૦થી રૃ. ૪ હજાર હોય છે. મકર સંક્રાતિએ પશ્ચિમ બંગાળમાં આવેલા ગંગાસાગરમાં સ્નાનનું મહત્વ છે. જેના કારણે ૧૩ જાન્યુઆરીએ અમદાવાદ-કોલકાતાનું એરફેર રૃ. ૯૫૦૦ સુધી પહોંચી ગયું છે. સામાન્ય દિવસોમાં આ એરફેર રૃ. ૩૭૦૦ની આસપાસ હોય છે.
 
 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments