Webdunia - Bharat's app for daily news and videos

Install App

LPG Cylinder Price: પીએમ ઉજ્જવલા લાભાર્થીઓને 400 રૂપિયા સસ્તો મળશે ગેસ સિલિન્ડર, બાકીના લોકોને 200 રૂપિયા સસ્તો પડશે

Webdunia
મંગળવાર, 29 ઑગસ્ટ 2023 (17:12 IST)
LPG Cylinder Prices: મોંઘવારીથી પરેશાન લોકોને મોદી સરકારે  રક્ષાબંધન અને ઓણમના અવસર પર સસ્તા એલપીજી સિલિન્ડરની ભેટ આપવાનો નિર્ણય કર્યો છે. મોંઘા એલપીજી સિલિન્ડરને લઈને વિપક્ષના સતત હુમલાઓનો સામનો કરી રહેલી મોદી સરકારે 33 કરોડ ઘરેલુ એલપીજી સિલિન્ડરના ગ્રાહકો માટે એલપીજી સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ સહિત તમામ ઘરેલું એલપીજી ગેસ ગ્રાહકોને એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડાનો લાભ મળશે.
 
કેબિનેટમાં લેવાયેલ નિર્ણય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે ઓણમ અને રક્ષાબંધનના અવસર પર સરકારે તમામ LPG ગ્રાહકોને 200 રૂપિયા સસ્તું LPG સિલિન્ડર આપવાનો નિર્ણય કર્યો છે. . છે. તેમણે કહ્યું કે સરકારના આ નિર્ણયથી 2022-23માં તિજોરી પર 7680 કરોડ રૂપિયાનો બોજ પડશે. અનુરાગ ઠાકુરે જણાવ્યું કે કેબિનેટે 75 લાખ મહિલાઓને ફ્રી ગેસ કનેક્શન આપવાનો પણ નિર્ણય કર્યો છે. આ મહિલાઓને એલપીજી કનેક્શન મેળવવા માટે એક રૂપિયો પણ ચૂકવવો પડશે નહીં. સરકારના આ નિર્ણય બાદ પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓની સંખ્યા વધીને 10.35 કરોડ થઈ જશે, જે હવે 9.60 કરોડની નજીક છે

સંબંધિત સમાચાર

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments