Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ આપ જાણો છો બંગડી પહેરવાનું ધાર્મિક કારણ ?

Webdunia
શનિવાર, 23 મે 2015 (09:48 IST)
કોઈને હલકો બતાવવો હોય તો આપણે કહીએ છીએ 'જા બંગડીઓ પહેરી લે'. આવી મશ્કરી કરાય છે. આ જ બંગડીઓમા કોઈનો પ્રતિકાર કરવાની શક્તિ પણ હોય છે એવુ કહેવાય છે. શુ છે આ બંગડીનું રહસ્ય આવો જાણીએ. 

શારીરિક રીતે સ્ત્રીઓ પુરૂષ કરતા વધુ નાજુક હોય છે. મહિલાના હાડકા પણ કમજોર હોય છે. બંગડીઓ પહેરવા પાછળનો ઉદ્દેશ્ય સ્ત્રીઓને શારીરિક શક્તિ પ્રદાન કરવાનો હોય છે. 

સ્ત્રીઓના હાથની બંગડીઓનો અવાજ સાંભળતા જ બધાની નજર તેમની તરફ જાય છે, લગભગ બધી જ સ્ત્રીઓ સામાન્ય રીતે હાથમાં બંગડીઓ પહેરે છે. બંગડીઓ સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. 

સ્ત્રીઓની વય જેમ જેમ વધે છે તેમને વિવિધ પ્રકારની બીમારીઓ થાય છે, શરીર નબળુ પડવા લાગે છે. વૃદ્ધાવસ્થામાં અનેક સ્ત્રીઓ હાથમાં બંગડીઓ પહેરતી નથી , તેથી મોટાભાગની સ્ત્રીઓમાં કમજોરી અને શારીરિક શક્તિઓનો અભાવ દેખાય છે. જલ્દી થાકી જાય છે, અને ગંભીર બીમારીઓ થાય છે. જૂના જમાનામાં સ્ત્રીઓને આ સમસ્યા નહોતી આવતી. તેમનુ ખાનપાન અને નિયમ સંયમ તેમને નિરોગી રાખતા હતા એવુ કહેવાય છે. 

સ્ત્રીઓને શક્તિ પ્રદાન કરવામાં સોના-ચાંદીના ઘરેણાંઓનુ ખૂબ જ મહત્વ છે. હાથના હાડકાં મજબૂત કરવા સોના-ચાંદીની બંગડીઓ મહત્વનું કામ કરે છે. આ બંગડીઓના ઘર્ષણને કારણે હાથમાં સોના-ચાંદીના ગુણ સમાય છે. આર્યુસોના-ચાંદીની ભસ્મ શરીરને બળ પ્રદાન કરે છે. સોના ચાંદીના ઘર્ષણને કારણે શરીરને આ ઘાતુઓનુ તત્વ મળે છે. 

આ જ કારણોસર જૂના જમાનામાં મહિલાઓ દીર્ઘ આયુ ધરાવતી અને નિરોધી રહેતી હતી. ધાર્મિક માન્યતા મુજબ જે વિવાહિત સ્ત્રીઓ બંગડીઓ પહેરે છે તેમના પતિનુ આયુષ્ય વધે છે.. બંગડીના અવાજનો સ્ત્રીઓના મન પર શુભ પ્રભાવ પડે છે. જે ઘરમાં બંગડીઓનો અવાજ થાય છે તે ઘરનું વાતાવરણમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકતી નથી. બંગડીના અવાજથી સકારાત્મક વાતાવરણનું નિર્માણ થાય છે. 

જે જગ્યાએ મહિલાઓના હાથમાં બંગડીઓનો અવાજ આવતો રહે છે તે સ્થાને દેવી-દેવતાઓની કૃપા રહે છે. આવા ઘરમાં સુખ સમૃદ્ધિ સદા રહે છે. એ સાથે જ સ્ત્રીનું આચરણ સંપૂર્ણ ધાર્મિક હોવુ જોઈએ. ફક્ત બંગડી પહેરવાથી સકારાત્મક ફળ મળી શકતુ નથી. 

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Show comments