Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના મુસ્લીમોને ભાજપ સહિષ્ણુ હોવાની વાત હજમ થતી નથી

ભાજપે 450 મુસ્લીમોને ટીકીટ આપી પણ માત્ર 15 જ જીત્યા

Webdunia
શનિવાર, 5 ડિસેમ્બર 2015 (16:06 IST)
એક તરફ દેશમાં સહિષ્ણુતા-અસિષ્ણુતા મુદ્દે ચર્ચા ચાલી રહી છે, બીજી તરફ ભાજપે પોતાની છબી સુધારવાના ભાગ રૂપે મહાનગરથી લઈ તાલુકા પંચાયત સુધીની ચુંટણીમાં 450 મુસ્લીમ ઉમેદવારોને ટીકીટ આપી હતી, જો કે ભાજપ સહિષ્ણુ છે તે વાત હજી મુસ્લીમો સ્વીકારવા તૈયાર નથી તેવુ ચુંટણીના પરિણામ ઉપરથી લાગી રહ્યુ છે કારણ 450 ઉમેદવારોમાંથી માત્ર 15 જ મુસ્લીમો ભાજપના કમળના નિશાન ઉપર ચુટાયા છે.

મુસ્લીમ બહુમતી હોય તે વિસ્તારમાં ભાજપના હિન્દુ ઉમેદવાર ના જીતે તે બહુ સ્વભાવીક છે. તેના કારણે ભાજપે પહેલી વખત મુસ્લીમ હોય તે વિસ્તારમાં  મુસ્લીમ ઉમેદવારો મોટી સંખ્યામાં ઉભા રહ્યા હતા. પણ મુસ્લીમ મતદારોએ ભાજપના મુસ્લીમ ઉમેદવારને મત આપવાને બદલે કોંગ્રેસ અથવા અપક્ષ ઉમેદવારને મત આપવાનું પસંદ કર્યુ હતું.
અમદાવાદ શહેરમાં ભાજપે ચાર મુસ્લીમોને ટીકીટ આપી હતી, પણ સમખાવા પુરતુ પણ એક પણ ઉમેદવાર ચુંટાયો ન્હોતો.બીજી તરફ છ મહાનગરમાંથી માત્ર રાજકોટમાં એક મહિલા મુસ્લીમ ઉમેદવાર ચુંટાઈ આવી છે.
સૌથી વધુ મુસ્લીમ ઉમેદવાર ઉના નગરપાલિકાની ચુંટણીમાં જીત્યા છે. ભાજપે ઉનામાં કુલ વીસ ઉમેદવારને ટીકીટ આપી હતી, જેમાં દસ મુસ્લીમ ઉમેદવાર ચુંટાઈ આવ્યા છે. આમ આખા ગુજરાતમાં માત્ર 15 ઉમેદવારો જ ચુટાતા ભાજપ હજુ સુધી મુસ્લીમોના મન જીતવામાં સફળ થયુ હોય તેવુ લાગતુ નથી.
જાણિતા સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની કહે છે કે ગુજરાતમાં કયારે ભાજપ અને હિન્દુઓનો સંબંધ સુમેળભર્યો નથી. બન્ને વચ્ચે કોઈના કોઈ મુદ્દે ઘર્ષણ થતુ આવ્યુ છે. તેવા સંજોગોમાં મુસ્લીમો ભાજપથી અળગા રહે તે બહુ સ્વભાવીક છે.
બોકસ
જીતેલા મુસ્લીમ ઉમેદવારે મંદિરમાં પુજા કરી.
કચ્છ ભાજપ દ્વારા પણ મોટી સંખ્યામાં મુસ્લીમોને ટીકીટ આપવામાં આવી હતી, જેમાં હાશછા સૈયદનો પણ સમાવેશ થાય છે. સૈયદે ચુંટણી પહેલા એવી બાધા રાખી હતી કે જો તે ચુંટણી જીતશે તો કોટેશ્વર મહાદેવમાં આવી પુજા કરશે. અને તેવુ થતાં સૈયદ કોટેશ્વર મહાદેવ આવ્યા હતા. અને બ્રાહ્મણની હાજરીમાં શાત્રોકત પુજા કરી હતી.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments