Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્થાનિક સ્વરાજ ચૂંટણી: અલગ-અલગ દિવસે મતદાન-મતગણતરીનો વિરોધ, હાઇકોર્ટે જાહેર કરી નોટીસ

Webdunia
બુધવાર, 3 ફેબ્રુઆરી 2021 (10:19 IST)
ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને બે અલગ-અલગ દિવસે થનાર મતોની ગણતરીને લઇને ચૂંટણી કમિશન અને સરકારને નોટીસ જાહેર કરી છે. મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતગણતરી 23 ફેબ્રુઆરીના રોજ જ્યારે નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે મતગણતરી 2 માર્ચના રોજ કરાવવાની જાહેરાત કરવામાં આવી છે.  
 
ગુજરાત હાઇકોર્ટે મંગળવારે રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને ચૂંટણી કમિશનના પરિપત્રને પડકાર આપનાર અરજી પર સુનાવણી કર્યા બાદ રાજ્ય ચૂંટણી કમિશન અને ગુજરાત સરકારને નોટિસ જાહેર કરી જવાબ રજૂ કર્યો છે. જ્યારે આ કેસની આગામી સુનાવણી 9 ફેબ્રુઆરીના રોજ થશે.  
 
ગુજરાત હાઇકોર્ટે રાજ્ય ચૂંટણી કમિશન અને રાજ્ય સરકારને 6 ફેબ્રુઆરી સુધી આ મુદ્દે સોગંધનામુ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. હાઇકોર્ટમાં દાખલ અરજીમાં દલીલ કરવામાં આવી છે કે નગર નિગમ અને પંચાયતના મતોની ગણતરી એકસાથે કરાવવી જોઇએ. 
 
રાજ્ય ચૂંટણી પંચ દ્રારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે તબક્કામાં થશે. જ્યારે મતોની ગણતરી બે અલગ-અલગ દિવસોમાં કરવામાં આવશે. અમદાવાદ સહિત 6 નગર નિગમની મતદાન 21 ફેબ્રુઆરી અને ચૂંટણીના પરિણામોને માટે મતગણતરી 23 ફેબ્રુઆરીના રોજ થશે.

સંબંધિત સમાચાર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments