rashifal-2026

સોનિયાજી મને ફાંસીએ ચડાવી દે-મોદી

સોહરાબુદીન એન્કાઉન્ટર લઇને મોદી સોનિયા પર ઉછળિયા

Webdunia
NDN.D

માંગરોળ (વેબદુનિયા) ગુજરાત વિધાન સભાની ચૂંટણીએ જોર પકડયું છે કોંગ્રેસની ડોર શ્રીમતી સોનિયા ગાંધીએ સંભાળી લીધી છે ત્યારે ભાજપના લાડીલા શ્રી નરેન્દ્ર મોદી એકલા હાથે ચૂંટણી જંગ લડવા નિકળી પડયા છે. ગઈ કાલે દક્ષિણ ગુજરાતના માંગરોળ ખાતે યોજાયેલી સભા દરમિયાન મોદીએ એંકાઉંટરમાં માર્યા ગયેલા સોહરાબુદીન શેખ સાથે જે પણ થયું તે બરાબર થયું અને તે તેનો હકદાર હતો તેવું કહતા સમગ્ર દેશમાં ભારે હોબાળો મચી ગયો છે.

ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓએ માત્ર ગુજરાતના રાજકારણમાં જ નહી પરંતુ દેશ અને વિદેશમાં પણ ગરમાવો પેદા કરી દીધો છે. મુખ્ય પક્ષો કોંગ્રેસ અને ભાજપ જાત જાતના આરોપોનું દોષારોપણ કરીને વોટ મેળવવાની તડજોડમાં લાગી ગયા છે. આમાંથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી બાકાત રહી શકે ખરા? મોદી સાહેબે સોહરાબુદીન શેખ એન્કાઉન્ટર કેસને બિલકુલ યથાર્થ ઠેરવતા કહી દીધું કે તેણે જે કર્યુ તેનું તેને ફળ મળ્યું હતું.

જો 2002ની ચૂંટણીમાં મોદીને પાકના મિયા મુશરર્ફે આડકતરી રીતે મદદ કરી હતી તો આ વખતે સોહરાબુદીન એંકાઉંટર અને ઓપરેશન કલંક નામનું ટ્રંમ્પકાર્ડ તેને ઉપયોગી બની શકે તેમ છે.

આ સભા દરમિયાન મોદીએ લોકોને પ્રશ્ન પૂછયો હતો કે જે વ્યકિત ગેરકાયદેસર રીતે હથિયારો અને વિસ્ફોટક સામગ્રી રાખતો હોય તેની સાથે શું કરવુ જોઈએ. લોકોએ મોદીની જ ભાષામાં જવાબ આપ્યો કે તેને મારી નાખવો જોઈએ. મોદી તો જાણે આ જ જવાબની રાહ જોઈ રહ્યાં હોય તેવું લાગ્યું અને તુરંત તેમણે કોંગ્રેસ અઘ્યક્ષા સોનિયા ગાંધી પર નિશાન તાંકતા કહ્યું કે, તો પછી જો મે કઈ ખોટું કર્યુ હોય તો પછી ભલે સોનિયાની સરકાર મને ફાંસીએ ચડાવી દે.

મોદીએ સોનિયા પર વધુ આકરા પ્રહારો કરતા એમ પણ જણાવ્યું કે, સોનિયા ગાંધી આતંકવાદ પર વાતો કરે છે પરંતુ તેમણે તેનો સમૂળગો હક જ ગુમાવી દીધો છે. કારણ કે સુપ્રિમ કોર્ટે સંસદ પર હુમલાના કેસમાં દોષિત ઠરેલા અફઝલ ગુરુની ફાંસીની સજા સુનિશ્ચિત રાખવા છતાં પણ હજૂ અફઝલને ફાંસી મળી નથી.
PRP.R

અત્રે ખાસ નોંધનીય છે કે સોહરાબુદીનનું 2005માં નકલી એન્કાઉન્ટર અને તેની પત્ની કૌસરબીની રહસ્યમય સંજોગોમાં હત્યા થવાથી ગુજરાત સરકાર અને ખાસ કરીને મોદી પર મોટી તવાઈ આવી ગઈ હતી. સોહરાબુદીન એંકાઉંટર પ્રકરણે સમગ્ર પોલીસબેડામાં ચકચાર મચાકી દીધી છે. આ કેસમાં ડીઆઈજી બોર્ડર રેન્જ ડી.જી.વણઝારા (એન્ટી ટેરેરિસ્ટ સ્કવોર્ડ ગુજરાત પોલિસના તત્કાલિન વડા) સહિત ૩ આપીએસ ઓફિસરોની ધરપકડ પણ થઈ છે. તેમાં રાજકુમાર પાંડિયન અને દિનેશકુમારની અટકાયત બાદ કેસમાં સંડોવાયેલા ઇંટેલિજંસ બ્યુરોના ડીવાયએસપી એમ.એલ.પરમારની પણ અટકાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત પીએસઆઇ બી.આર.ચૌલે, પીઆઇ એન.એચ.ડાભી. પીએસઆઇ એન.વી.ચૌહાણ, પો.કે. મોહબ્બતસિંહ જેઠીસિંગ, અને પાંડિયનના પીએ અજય પરમાર વગેરે.. આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવ્યા બાદ રાજયમાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન થયેલા 15 એંકાઉંટરની તપાસ થઇ રહી છે.

જાપાનમાં બે વાર આવ્યો ભીષણ ભૂકંપ, સુનામીની ચેતાવણી, જાણો કેટલી હતી ભૂકંપની તીવ્રતા

નવજોત કૌર સિદ્ધુને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ, 500 કરોડ રૂપિયાના નિવેદન પર કાર્યવાહી

ગોવા અગ્નિકાંડના આરોપીઓ દેશ છોડીને થાઈલેન્ડ ફરાર, પોલીસે CBI દ્વારા ઇન્ટરપોલની માંગી મદદ

Khandwa news- દલિત મહિલાને બ્લેકમેલ કરી, તેના પર અનેક વખત બળાત્કાર કર્યો અને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું

Gold-Silver Price Today: સોના અને ચાંદીના ભાવ વધ્યા છે કે ઘટ્યા છે? આજના ભાવ જાણો.

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

Show comments