rashifal-2026

હવે મોદીનું પણ મંદિર....

Webdunia
- જનકસિંહ ઝાલા
એક એવું મંદિર જ્યાં કોઈ દેવી દેવતા નહી પરંતુ એ વ્યક્તિની પૂજા કરવામાં આવે છે જેણે માત્ર પોતાના જોરે ગુજરાતમાં ફરીથી ભાજપનો વાવટો લહેરાવ્યો.

W.D
આ મંદિર શિવ મંદિર, ગણેશ મંદિર, દુર્ગા મંદિર કે પછી હનુમાન મંદિરના નામથી નહી પરંતુ 'મોદી મંદિર'ના નામથી ઓળખાય છે. આ મંદિરમાં ભગવાન તરીકે સ્વયં નરેન્દ્ર મોદીની તસવીરો બિરાજમાન છે. અહીં દરરોજ સવારે ઢોલ-નગારાઓ સાથે મોદીની પૂજા-અર્ચના થાય છે.

ગુજરાતના વાંકાનેર તાલુકાનું ભોજપરા ગામ કદાચ આ ભારતનું પ્રથમ એક એવું ગામ હશે જ્યાં વાદીઓની વસ્તી છે. આ ગામમાં વાદીઓન 111 પરિવાર છે. અહીં નાગની બીન વડે જ દિવસની શરૂઆત થાય છે.

સવારના પહોરમાં જ ઘરનો મોભી એક હાથમાં બીન અને ખભ્ભે નાગની ટોકરી રાખીને પોતાનું અને પોતાના સંતાનોનું પેટ ભરવા માટે નિકળી પડે છે.

સૌરાષ્ટ્રમાં 'વાદી વસાહત' નામથી પ્રચલિત આ વાદીઓ આશરે દસ વર્ષ પહેલા પોતાના પરિવારોને લઈને અહીં સ્થાયી થયાં હતાં. એ સમયે તેમની પાસે રહેવા માટે છત પણ નથી હતી. તેઓએ અહીં તંબુ તાણીને પોતાનું જીવનધોરણ શઊ કર્યું.

તેઓએ દરેક ઋતુઓ અને કઠણાઈઓનો સામનો કર્યો. તેમની આ હાલત જોઈને ત્યાંના સ્થાનીય લોકોના મનમાં દયા આવી. તેઓએ આ વાદીઓની મદદ માટે મોદી સરકાર સામે રજૂઆત કરી. સરકારે પણ તેમની મદદ માટે પ્લોટ્સની ફાળવણી કરી અંતે તંબૂમાં રહેનારા આ વાદી સમાજને માથે છત મળી.

સરકારની મદદથી અહીં વીજળી-પાણીની સુવિધાઓ અને બાળકો માટે સ્કૂલનું નિર્માન કરવામાં આવ્યું. કોઈ માની પણ ન શકે કે, નાગ અને વિચ્છી પકડનારા આ વાદીઓના બાળકો હવે બીન વગાડવાની સાથોસાથ કોમ્પ્યુટર પણ ચલાવે શકે છે. જેના માટે તેઓ ગુજરાત અને ખાસ કરીને નરેન્દ્ર મોદીના આભારી છે. આ લોકોની આંખોમાં મોદી કોઈ રાજનેતા નહીં પરંતુ એક ભગવાન છે.

તેમનું કહેવું છે કે, 'મોદી જ અમારો ભગવાન છે' તેઓ માને છે કે, મોદીના કારણે જ આજે અમારા બાળકો અહીં સુધી પહોંચ્યાં છે. આ લોકો દરરોજ સવારે નરેન્દ્ર મોદીને નમન કરીને પોત-પોતાના કામે નિકળી પડે છે.

મોદીનું આ મંદિર હજુ નાનું છે અને તેઓ તેને મોટુ બનાવવા ઈચ્છે છે. વાદીઓ કહેં છે કે, મંદિર નાનું હોય તો શું થયું મોદી પ્રત્યે અમારી આસ્થા તો મોટી જ છે.

તસવીર : ભાટી.એન(વાંકાનેર)

Gold-Silver Prices: રેકોર્ડ ઊંચાઈ પરથી ગબડ્યો સોનાનો ભાવ, શું હાલ સોનું ખરીદવાનો યોગ્ય સમય છે ?

India Squad Announcement: ટી-20 વર્લ્ડ કપ 2026 ટીમમાંથી શુભમન ગિલ કેમ થયો બહાર, જાણો ઈનસાઈડ સ્ટોરી

ફોન પર વાત કરતા હોટલના ખોટા રૂમમાં ઘુસી ગઈ નર્સ, પછી આખી રાત તેની સાથે જે થયું તે સાભળીને કંપી જશો

ટી20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયાની થઈ જાહેરાત, આ ખેલાડીઓ પર ખિતાબ બચાવવાની જવાબદારી

બાંગ્લાદેશની યુનૂસ સરકારની મોટી એક્શન, હિંદુ યુવક દિપૂ ચન્દ્ર દાસની હત્યા મામલે સાત લોકોની ધરપકડ

શનિ બીજ મંત્ર - પાછલા જન્મના ખરાબ કર્મોનો કરશે નાશ, જાણો કેવી રીતે કરવો જાપ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Ekadashi Vrat Date: વર્ષની છેલ્લી એકાદશી ક્યારે છે,૩૦ કે 31 ડિસેમ્બર? જાણો પુત્રદા એકાદશીનું વ્રતની તારીખ અને શુભ મુહૂર્ત

દ્રૌપદી તેના પાંચ પતિઓ સાથે કેવી રીતે સમય વિતાવતી; કોઈ પણ પાંડવોએ ફરિયાદ કરી નહીં.

Margashirsha Amavasya 2025: આજે છે વર્ષની છેલ્લી અમાસ, જાણો સ્નાન-દાનનાં ઉપાય અને જરૂરી નિયમ

Show comments