વડનગર મંદિર અને તળાવનું જ શહેર કહેવાય છે. ત્યાં ઠેર ઠેર તળાવ અને મંદિરો આવેલા છે. એક લોકવાયકા પ્રમાણે પહેલાંના સમયમાં વડનગરમાં આવેલ દરેક તળાવમં નાહિને દરેક મંદિરના દર્શન માત્ર સવારથી સાંજનો સુર્ય ડુબ્યાની પહેલાં જે કરતું તેને ભગવાનના ઘરે સદેહે જવા મળતું હતું.
વડનગરમાં હાટકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. એવું કહેવાય છે કે આ મંદિરના શિવલીંગની પૂજા કૃષ્ણ ભગવાને જ્યારે ભક્ત નરસિંહ મહેતાના પુત્ર શામળના વિવાહમાં આવ્યા ત્યારે કરી હતી.
એવું કહેવાય છે કે અકબર રાજાના સમયમાં મહાન ગાયક કલાકાર તાનસેને દીપક રાગ ગાયો હતો અને તેના આખા શરીરની અંદર બળતરા શરૂ થઈ ગઈ હતી. તેની અંદરની આ જ્વાળાને શાંત કરવા માટે વડનગરની અંદર રહેતી તાના-રીરી નામની બે બહેનોએ મેઘ-મલ્હાર રાગ ગાઈને તેની અંદરની બળતારાને શાંત કરી હતી. આજે પણ તેમની સ્મારક એવી તેમની સમાધિ ત્યાં છે જ્યાં દર વર્ષે સરકાર તરફથી એક મેળાનું આયોજન થાય છે અને આ મેળાની અંદર શાસ્ત્રીય સંગીતકારો ભાગ લઈને તાના અને રીરીને સંગીતાજલિ આપે છે.
આ ઉપરાંત ત્યાં અર્જુન બારી નામનો એક દરવાજો પણ છે જેની પર વડનગરની ભવ્યતાનો ઉલ્લેખ છે. વડનગરના મોટા ભાગના સ્મારકો તો હવે લગભગ નષ્ટ થઈ ગયાં છે.