અહીં કેવડિયા કોલોનીનો વિશેષ પર્યટન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવ્યો છે. આ સ્થળ રજાઓ ગાળવા માટેનું અને પીકનીક માટે ઉત્તમ છે. અહીંના જંગલો, ઝરણાઓ, ટેકરીઓ વગેરે જોવાલાયક છે.
બંધની નજીક આવેલ થોડોક જમીન વિસ્તાર સરદાર સરોવર નર્મદા નિગમની માલીકીની જમીન છે. જ્યાં પ્રવાસીયો માટે પ્રાથમિક પ્રવાસન સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. બગીચાઓ, રેસ્ટોરંટ અને વિશ્રામ કુટીર પણ છે. અહીંયા પ્રવાસનના વિકાસના હેતુથી ખાણી-પીણીના સ્ટોલ, હોટલ, સાહસી રમતોની સુવિધાનું આયોજન પણ કરાયેલ છે. વળી પાર્કિંગની પણ સારી વ્યવસ્થા છે.
આ સ્થળ બરોડાથી 55 કિલોમીટરની દૂરી પર આવેલ છે. ત્યાં જવા માટેનો રસ્તો પણ સરળ હોવાથી કોઈ પ્રકારની મુશ્કેલી પડતી નથી.