Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાસણગીર - ગીર અભ્યારણ

Webdunia
આમ તો આખા ભારતમાં ઘણી જગ્યાએ સિંહ જોવા મળી જાય છે પરંતુ ગીરનું અભ્યારણ એશિયામાં ખુબ જ પ્રખ્યાત છે જે ગુજરાતમાં આવેલ છે. આજકાલ પ્રાણીઓને જોવા માટે ઝૂમાં જવું પડે છે. કેમકે લોકોના શિકારને લીધે દિવસે દિવસે તેમની સંખ્યા સતત ઘટતી જાય છે. પરંતુ ગીરનાં અભ્યારણમાં પ્રાણીઓને ખુબ જ સરળતાથી જોઈ શકાય છે. તેઓ ત્યાં પ્રાકૃતિક આશ્રયસ્થાનમાં રહે છે તેથી તેમને ત્યાં તેમના સહપરિવાર સાથે અને તેમના પ્રાકૃતિક અંદાજમાં જોઈ શકાય છે. પહેલાં ગીરની અંદર સિંહોનો વધું પ્રમાણમાં શિકાર થવાને લીધે માત્ર 15 જ સિંહ બચ્યાં હતાં તેથી જૂનાગઢના નવાબે તેમનું રક્ષણ કરવાની સલાહ આપી હતી પરંતુ તે માટેના પગલાં ખુબ જ મોડા ભરવામાં આવ્યાં હતાં.
 

ગીરમાં ચિત્તાની સંખ્યા પણ ખુબ જ વધું પ્રમાણમાં છે. ભારતમાં અન્ય અભ્યારણો કરતાં અહીંયા ચિત્તાની સંખ્યા વધારે છે. ગીરની અંદર સાબર, હરણ, કાળીયાર, નીલગાય, શિયાળ, વાંદરા વગેરે જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે. પ્રાણીઓની સાથે સાથે પક્ષીઓની પણ કેટલીયે જાતો જોવા મળે છે. ગીર એક એવું અભ્યારણ છે જ્યાં પ્રાણીઓ અને પક્ષીઓની વધુમાં વધું જાતો જોવા મળે છે. અહીંયા સસ્તન પ્રાણીઓની ત્રીસ, સરીસૃપોની વીસ તેમજ જીવજંતુઓની કેટલીયે જાતો જોવા મળે છે.

ગીરનું અભ્યારણ 1414 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. અહીંયા પ્રાણીઓ ખાસ કરીને વહેલી સવારે અને સમી સાંજે નીકળે છે તેથી તેમને જોવા માટેનો શ્રેષ્ઠ સમય સવારે અને સાંજનો છે. આ સમયે જંગલની આસપાસ જીપ ચલાવીને તેમને નિહાળી શકાય છે.
ગીર જવા માટેનો શ્રેષ્ઠ સમય નવેમ્બર મહિનાથી જુન મહિનાની વચ્ચેનો છે. આ સ્થળ અમદાવાદથી 348  કિલોમીટર દૂર આવેલ છે. તેથી બસ મારફતે ત્યાં જઈ શકાય છે. ત્યાં જવા માટે ગુજરાત રાજ્ય સરકારની બસો પણ ખુબ જ સરળતાથી મળી રહે છે. નજીકનું હવાઈ મથક રાજકોટ છે. રાજકોટથી મુંબઈની દરરોજ ફ્લાઈટ છે. અમદાવાદ અને રાજકોટથી રેલ્વે માર્ગ જૂનાગઢનો છે. જૂનાગઢથી સાસણગીર માત્ર 55 કિલોમીટરના અંતરે આવેલ છે.

ગીર અભ્યારણ્ય જોવા માટે એક મહિના અગાઉથી પરમીટ લેવુ ખૂબ જરૂરી છે. જે આપ http://girlion.in/ ની ઓનલાઈન સાઈટ પરથી મેળવી શકો છો.  

ગીર અભ્યારણ્ય દર વર્ષે 16 જૂનથી 15 ઓકટોબર સુધી બંધ રહે છે 

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments