Webdunia - Bharat's app for daily news and videos

Install App

તો આનંદીબેન ફરીવાર સીએમ થઈ શકે, નહીં તો બહારના બે ચહેરા નક્કી

Webdunia
મંગળવાર, 22 ઑગસ્ટ 2017 (13:41 IST)
ગુજરાતમાં હાલમાં ચૂંટણીનો માહોલ ચારેબાજુ ફેલાઈ રહ્યો છે. ટોચના કેન્દ્રીય નેતાઓ પણ હવે ગુજરાતમાં ધામા નાંખવાની તૈયારીઓ કરી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી કોણ બનશે એની ચર્ચાઓએ જોર પકડ્યું છે. એક મીડિયા રીપોર્ટ પ્રમાણે ગુજરાતમાં હાલમાં 75 વર્ષ પુરાં કરી ચૂકેલા નેતાઓમાં ફરીથી પ્રાણ ફૂંકાયા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભોપાલ ખાતેની સભામાં જે 75 વર્ષની નિવૃત્તિને લઈને નિવેદન આપ્યું તેનાથી સમીકરણો પણ બદલાઈ શકે છે. હવે ભાજપમાં કોઈ કદાવર નેતા ના હોવાથી ચૂંટણી ભલે રૂપાણીના નેતૃત્વમાં લડાય પણ સવાલ ત્યાં છે કે તેઓ રીપીટ નહીં થઈ શકે, કારણ કે પાટીદાર સમાજને મનાવવા માટે ફરીવાર આનંદીબેનનો સીએમ પદ માટે ઉપયોગ થઈ શકે છે. અથવા તો મહિલાઓને પ્રાધાન્ય આપવા માટે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને ગુજરાતની વહુના રૂપમાં ઉપયોગમાં લઈ શકાય છે. એવા મત સાથે ભાજપ દક્ષિણ ગુજરાતમાં પ્રચાર પણ કરશે. તો બીજી બાજુ સંઘની વાત આવે ત્યારે સંઘના ટોતના નેતા સંજય જોશી પણ હવે આ પદ માટે દાવેદાર માનવામાં આવે છે. આમતો ગુજરાતમાં કોઈ બહારનો નેતા કે પક્ષ ક્યારેય ચાલ્યો નથી પણ હવે ભાજપ આ નવો ચીલો ચીતરે એમાં કોઈ નવાઈ નથી.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments