Webdunia - Bharat's app for daily news and videos

Install App

મત મેળવવા માટે સોફ્ટહિંદુત્વ નહીં ચાલે, શંકરસિહનો કોંગ્રેસ પર કટાક્ષ

શંકરસિહ
Webdunia
ગુરુવાર, 30 નવેમ્બર 2017 (14:22 IST)
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને થોડા જ દિવસો બાકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર પ્રહાર કરવાની એક પણ તક નથી ચૂકતા. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ અનેકવારની ગુજરાતની મુલાકાતો દરમિયાન વિવિધ મંદિરોમાં પણ દર્શન કર્યા છે. આ મામલે ભાજપ તરફથી અનેક કટાક્ષ કરવામાં આવ્યા છે. ત્યારે થોડા સમય પહેલા જ કોંગ્રેસમાંથી છૂટા પડી પોતાના અલગ પક્ષની સ્થાપના કરનાર વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ આ પણ આ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા અને રાહુલ ગાંધી તથા કોંગ્રેસની નીતિ પર પ્રહારો પણ કર્યા હતા. 

શંકરસિંહ વાઘેલાએ ટીવીના એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીની મંદિર મુલાકાતો અંગે કહ્યું હતું કે, મંદિર મુલાકાતોનો શ્રેય નરેન્દ્રભાઇને જાય છે. તેમણે કોંગ્રેસને માઇનોરિટી બનાવી દીધું. કોંગ્રેસ પાસ એક માત્ર ઓફિશિયલ સપોર્ટ મુસ્લિમોનો હતો, તેમણે એનાથી ભાગવું નહોતું જોઇતું. મુલસમાન કાર્યકર્તાઓ હોય કોંગ્રેસના અને તેમના પારંપરિક પરિધાનમાં હોય એનાથી વાંધો ન થવો જોઇએ. કોંગ્રેસે આ વાતને છુપાવવાની જરૂર નથી. મંદિરમાં જાઓ સારી વાત છે, મસ્જિદમાં પણ જાઓ. પરંતુ મત લેવા માટે સોફ્ટ હિંદુત્વ કામ નહીં આવે. કાગડો હંસની ચાલ ચાલે તો ના કાગડો રહેશે ના હંસ, એવી કોંગ્રેસની હાલત થઇ જશે. શંકરસિંહ વાઘેલાનો આ વીડિયો ભાજપના આઇટી સેલના હેડ દ્વારા ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી લગ્ન પીઠી રીત

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

વધુ જુઓ..

નવીનતમ

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

આગળનો લેખ
Show comments