Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં જાપાનના પીએમ આબે અને મોદીની મુલાકાત દરમિયાન ડેકોરેશનનું બિલ 4 કરોડ રૂપિયા - આરટીઆઈમાં ખુલાસો

Webdunia
શનિવાર, 25 નવેમ્બર 2017 (14:36 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે માસ પૂર્વે અમદાવાદ પધાર્યા હોય અને ઇન્ડો જાપાન સમીટ મુલાકાત દરમિયાન જે લાઈટ ડેકોરેશન કરવામાં આવ્યું તેના માટે અધધ ૪.૨૧ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું આરટીઆઈ અરજીમાં ખુલાસો થયો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત તા. ૧૭-૦૯-૧૭ ના રોજ અમદાવાદ ખાતે ઇન્ડો જાપાન સમીટ મુલાકાત દરમિયાન હાજરી આપી હતી અને જાપાનના વડાપ્રધાન સાથે અમદાવાદનો પ્રવાસ પણ કર્યો હતો ત્યારે આખા અમદાવાદ શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું.

ઠેર ઠેર રોશનીના શણગાર સજ્યા હતા જેના ખર્ચ મામલે કચ્છ લડાયક મંચના પ્રમુખ રમેશભાઈ જોષીએ રાઈટ ટૂ ઇન્ફર્મેશન અંતર્ગત લાઈટ ડેકોરેશનના ખર્ચ અંગે માહિતી માંગી હતી જેમાં મુખ્યમંત્રીનું કાર્યાલય, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગર, સેન્ટ્રલ ઓફીસ, ડે. મ્યુ. કમિશનર અને લાઈટ ખાતું વગેરેના રેફરન્સ દ્વારા આર ટીઆઈ અરજીના જવાબમાં અમદાવાદ લાઈટ ડેકોરેશન માટે કુલ ૪,૨૧,૨૮,૭૭૧ નો ખર્ચ કરવામાં આવ્યો હોવાની માહિતી જવાબરૂપે આપવામાં આવી છે ત્યારે ભારત જેવો દેશ જ્યાં હજુ ગરીબી અને રોજગારી જેવા મુદાઓ યથાવત છે ત્યારે વડાપ્રધાનના પ્રવાસ માટે લાઈટ ડેકોરેશનનો સવા ચાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. સંસ્થા દ્વારા ગત તા. ૧૭-૧૦ ના રોજ અરજી કરવામાં આવી હતી જેનો જવાબ ગત તા. ૨૩-૧૧ ના રોજ આપવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

પોલીસ સ્મૃતિ દિવસ

ગૃહમંત્રી અમિત શાહે શહીદ પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ આપી, સીએમ શિંદેએ મુંબઈમાં શ્રદ્ધાંજલિ આપી

સોનું અને ચાંદી ઓલ ટાઈમ હાઈ પર, ચાંદીમાં રૂ. 2800નો જંગી વધારો, સોનામાં પણ રેકોર્ડ હાઈ

Diwali 2024 Guru Pushya Nakshatra : દિવાળી પહેલા બની રહ્યો છે ગુરુ પુષ્ય યોગ, ખરીદો ઘરેણાં, પ્રોપર્ટી, વાહન જાણો શુભ મુહુર્ત

ગુજરાતમાં વીજળી પડવાથી પાંચ લોકોનાં મોત, વીજળી પડે ત્યારે બચવા માટે શું કરવું?

આગળનો લેખ