Webdunia - Bharat's app for daily news and videos

Install App

દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં કુલ ૨૮ પૈકી ૨૨ ભાજપ અને ૬ બેઠકો પર કોંગ્રેસની જીત

Webdunia
મંગળવાર, 19 ડિસેમ્બર 2017 (15:40 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાની કુલ ૨૮ બેઠકો પણ બે બેઠકો પર સત્તામાં ઉલટભેર સિવાય ભાજપ અને કોંગ્રેસે બેઠકો જાળવી રાખી છે. ભાજપને કુલ ૨૨ અને કોંગ્રેસને ૬ બેઠક મળી છે. નિઝર બેઠક કોંગ્રેસે ભાજપ પાસેથી આંચકી લીધી છે તો ધરમપુર બેઠક ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી છે. જ્યારે સુરત શહેરની ૧૨ બેઠકો પર ભગવો લહેરાયો છે.

પાટીદાર ઇફેક્ટવાળી વરાછા, ઉત્તર, કરંજ અને કામરેજ બેઠક પર જોકે ભાજપની સરસાઇ ઘટી છે. ગુજરાતમાં પરિવર્તન કે પુનરાવર્તન ? તે આતુરતાનો અંત આવી ગયો છે. કુલ ૧૮૨ બેઠકોમાં જોકે, ગત ચૂંટણી કરતા ભાજપની બેઠકો ઘટીને ૯૯ સુધી સીમિત રહી છે. કોંગ્રેસને ૭૭ બેઠક મળી છે. દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં ભાજપ કોંગ્રેસને મળેલી બેઠકોનો આંકડો યથાવત રહયો છે. સુરત જિલ્લાની કુલ ૧૬ બેઠકો પૈકી એકમાત્ર માંડવી બેઠક કોંગ્રેસે આ વખતે પણ જાળવી રાખી છે. તે સિવાય તમામ ૧૫ બેઠક પર ભગવો લહેરાયો છે. આ પૈકી સુરત શહેરની ૧૨ બેઠકોમાં પાંચ બેઠક પર જીત મેળવવાનો કોંગ્રેસે દાવો કર્યો હતો. પણ તેમાંથી એકેય બેઠક મળી શકી નથી. પાટીદાર ઇફેક્ટવાળી વરાછા, કામરેજ, કરંજ, ઉત્તર બેઠક પણ ભાજપે જાળવી રાખી છે. જોકે, જીતનો માર્જીન ગત ચૂંટણી કરતા અહી ઘટયો છે. તાપી જિલ્લાની બે બેઠકો પૈકી નિઝર બેઠક કોંગ્રેસે ભાજપ પાસેથી આંચકી લીધી છે. અહી કોંગ્રેસને ગત ચૂંટણી કરતા ૨૬,૩૮૨ મતની વધારાની લીડ મળી છે. ગત ચૂંટણીમાં આ બેઠક ભાજપે આંચકી હતી. જ્યારે વ્યારા બેઠક કોંગ્રેસે જાળવી રાખી છે. ડાંગ જિલ્લામાં એક માત્ર બેઠક કોંગ્રેસે જાળવી રાખી છે. પણ ભારે રસાકસી વચ્ચ સરસાઇ માત્ર ૭૬૮ મતની રહી છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસને ૨,૪૨૨ મતની લીડ મળી હતી તેના કરતા પણ વધુ મતો આ વખતે ધોવાયા છતાં બેઠક બચાવી શકાઇ છે. નવસારી જિલ્લામાં કુલ ચાર બેઠકોમાંથી ભાજપ પાસેની ત્રણ બેઠકો પૈકી નવસારી, જલાલપોર કટોકટ રહે તેવી ધારણા વચ્ચે ભાજપે આ બેઠકો સહિત ગણદેવીની બેઠક પણ મોટી સરસાઇ સાથે જાળવી છે. જ્યારે વાંસદા બેઠક કબજે કરવાના દાવા છતાં ભાજપ આ બેઠક મેળવ શક્યું નથી. કોંગ્રેસે આ બેઠક જાળવી છે પણ ગત ચૂંટણી કરતા સરસાઇ ૬ હજાર મત જેટલી ઘટી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ 5 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો નહીંતર સહન કરવું પડશે નુકસાન

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments