Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસ આવે છે આવે છે કરે છે પણ ક્યારેય આવી નથી - સુરતમાં મોદી

Webdunia
ગુરુવાર, 7 ડિસેમ્બર 2017 (16:03 IST)
પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થાય તે અગાઉ સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં નરેન્દ્ર મોદી એક વાગ્યાના નિયત સમય કરતાં બે અઢી કલાક મોડા આવ્યા હતાં. વિશાળ જનમેદનીને સંબોધતા પ્રારંભે મોદીએ કહ્યું હતું કે, વાવાઝોડાના કારણે સભા એક દિવસ સ્થગિત કરવામાં આવી. વાવાઝોડું ઓખી આવે છે આવે છે એમ હતું પરંતુ આવું કહેનારા ક્યારે આવતાં નથી એ આપણે જોયું. એમ કહી કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, ગુજરાતનો વિકાસ કોંગ્રેસને દેખાતો નથી. અને આ જનમેદની જ 18મીના પરિણામ આપી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લિંબાયત વિસ્તારમાં આવેલા નીલગીરી ગ્રાઉન્ડ ખાતે 6 ડિસેમ્બરના રોજ સાંજે 7 કલાકે જાહેરસભાને સંબોધવાના હતા, પરંતુ ઓખી વાવાઝોડુ ત્રાટકવાની શકયતા હોવાથી જાહેરસભાને રદ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ ચૂંટણી પ્રચાર પૂર્ણ થવાને ગણતરીના કલાકો બાકી રહેવાના છે, ત્યારે નીલગીરી ગ્રાઉન્ડ ખાતે જાહેરસભા યોજવામાં આવી છે. કારણ કે, 7મી ડિસેમ્બરના રોજ સાંજે 5 કલાકે ચૂંટણી પ્રચાર બંધ થઇ જાય તે પહેલાં નરેન્દ્ર મોદીની જાહેરસભા યોજવામાં આવશે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments