Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતની આર્થિક સ્થિતિ અતિ ખરાબ, અરૂણ જેટલી રાજીનામું આપે - ભાજપના નેતા યશવંતસિંહા

ભારતની આર્થિક સ્થિતિ અતિ ખરાબ  અરૂણ જેટલી રાજીનામું આપે - ભાજપના નેતા યશવંતસિંહા
Webdunia
મંગળવાર, 14 નવેમ્બર 2017 (17:37 IST)
ભાજપના વરિષ્ઠ નેતા યશવંતસિંહા એ તાજેતરમાં નાણાંપ્રધાન અરૂણ જેટલી પર નિશાન તાક્યું હતું અને તેમણે કહ્યું હતું કે જીએસટીના અમલમાં જેટલીએ મગજ નથી દોડાવ્યું. આ અગાઉ પણ સિંહાએ અનેક વાર ભાજપની કેન્દ્ર સરકાર પર નોટબંધી અને જીએસટીને લઈને નિવેદનો આપ્યાં છે. ત્યારે અમદાવાદ આવી પહોંચેલા પૂર્વ નાણાંપ્રધાન યશવંત સિંહાએ પત્રકાર પરિષદ યોજીને નાણાંમંત્રી અરુણ જેટલીના રાજીનામાની માંગણી કરી હતી. તેમનું કહેવું છે કે કેન્દ્ર સરકારના અણઘડ વહીવટના કારણે દેશને ભારે આર્થિક નુકસાન થયું છે.

લોકશાહી બચાવોની ઝૂંબેશ લઇને નીકળેલા અમદાવાદના એનજીઓના ગૌતમ ઠાકર, દેવ દેસાઇ, મહેશ પંડ્યા, હેમંતકુમાર શાહ દ્વારા આજે ભૂતપૂર્વ નાણાંપ્રધાન અને ભાજપના સીનીયર નેતા યશવંતસિંહાને શહેરમાં આમંત્રિત કરવામાં આવ્યા હોવાથી તે મંગળવારે આવી પહોંચ્યા હતા. તેમણે ભારતની આર્થિક સ્થિતિને વખોડી હતી. આ પાછળ ભારતના નાણાં પ્રધાન જવાબદાર હોવાનું જણાવી અરુણ જેટલી રાજીનામું આપે તેવી માંગણી તેમણે કરી હતી. અરુણ જેટલીએ નૈતિકતાના ધોરણે સામેથી જ રાજીનામુ આપી દેવું જોઈએ તેમ તેમણે કહ્યું હતું. યશવંતસિંહાની સાથે પત્રકાર પરિષદમાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સુરેશ મહેતા પણ જોડાયા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

વધુ જુઓ..

નવીનતમ

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

આગળનો લેખ
Show comments