Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં મતોનું ધૃવિકરણ રોકવા કોંગ્રેસના મક્કમ પ્રયાસો. નિવેદનબાજીમાં પણ કાળજી લેવાઈ

ગુજરાત
Webdunia
શુક્રવાર, 3 નવેમ્બર 2017 (16:12 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ એવો કોઇ મોકો આપવા નથી માંગતી કે જેથી ભાજપ મોટો મુદો બનાવી તેની વિરૂધ્ધ મતોનુ ધ્રુવીકરણ કરાવી શકે. આ માટે પ્રચાર દરમિયાન નિવેદનબાજીમાં પણ કાળજી રાખવામાં આવી રહી છે. કોંગ્રેસ ખાસ કરીને લઘુમતીઓને લઇને ભારે સાવચેતીપુર્વક પગલા લઇ રહી છે આ જ કારણ છે કે રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન હજુ સુધી લઘુમતી સાથે જોડાયેલા મુદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પક્ષના વરિષ્ઠ નેતાએ કહ્યુ છે કે આ અમારી એક રણનીતિનો હિસ્સો છે.

ગત લોકસભાની ચૂંટણીમાં પરાજય બાદ પક્ષ પોતાની છબી બદલવા માંગે છે. ગુજરાતમાં ૩૪ બેઠક પર મુસ્લિમ મતદારોની સંખ્યા ૧પ ટકા છે. ગત ચૂંટણીમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણને કારણે આમાંથી ર૧ બેઠકો ભાજપે જીતી હતી. કોંગ્રેસને માત્ર ૧ર બેઠકો મળી હતી અને એક બેઠક એનસીપીના ખાતામાં ગઇ હતી. એવામાં આ વખતે કોંગ્રેસ પોતાની રણનીતિ બદલી રહ્યુ છે. પક્ષમાં એ બાબત પર સહમતી છે કે, વર્તમાન બે ધારાસભ્યો ઉપરાંત કોઇ લઘુમતી ઉમેદવારને ઉતારવામાં ન આવે. પક્ષના એક નેતાના કહેવા મુજબ ગુજરાતમાં લઘુમતીઓ પણ મતોના ધ્રુવીકરણને રોકવાના અમારા પ્રયાસોને સમજી રહ્યા છે. આ જ કારણ છે કે રાહુલની યાત્રા અને રેલીઓમાં મોટીસંખ્યામાં લઘુમતીઓ ઉમટી રહ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી સ્પેશિયલ પ્રિમિક્સ કેવી રીતે બનાવશો-

Skin Care tips- જો તમે આ કોરિયન બ્યુટી ટિપ્સને ફોલો કરશો તો ત્વચાની સમસ્યાઓ ઓછી થશે અને તમારો ચહેરો ચમકશે

બોધ વાર્તા ગુજરાતી- "જે થયું તે થઈ ગયું.

April Fools Day History- એક એપ્રિલના દિવસે જ શા માટે ઉજવાય છે એપ્રિલ ફૂલ્સ ડે

યુરિક એસિડને નિયંત્રિત કરવામાં ડુંગળીનું સેવન ફાયદાકારક છે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વધુ જુઓ..

નવીનતમ

Jokes- એપ્રિલ ફૂલ જોક્સ

ગુજરાતી જોક્સ - ઘઉં વેચવા ગયો

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

આગળનો લેખ
Show comments