Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપમાં જૂથવાદ વકરતા કાર્યકરો અવઢવમાં, કયા નેતાને સાથ આપવો એની ચર્ચાઓ ચાલુ

Webdunia
બુધવાર, 28 જૂન 2017 (12:43 IST)
કોંગ્રેસમાં જૂથવાદ ચરમસિમાએ પહોંચ્યો છે  ત્યારે ભાજપની ય આવ ભાઈ હરખા આપણે બેઉ સરખા જેવી દશા છે. અમિત શાહ અને આનંદીબેન પટેલ વચ્ચેનો આંતરિક જૂથવાદ એટલો વકર્યો છે કે, વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપ નવુ માળખુ ય જાહેર કરી શકતુ નથી એટલે જ જીતુ વાઘાણીને ન ફાવે છતાંયે જૂની ટીમ સાથે કામ કરવા મજબૂર થવુ પડયું છે. 

ભાજપમાં અમિત શાહ અને આનંદીબેન પટેલના આંતરિક જૂથવાદથી ખુદ હાઇકમાન્ડ પણ ચિંતિત છે. આ આંતરિક લડાઇને કારણે જ નવા સંગઠનમાં કોને સમાવવા અને કોના પત્તા કાપવાની લડાઇ એટલી હદે પહોચી છે કે, નવા સંગઠનની રચના પર જ બ્રેક મારી દેવામાં આવી છે. ખુદ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને જૂથવાદનું ગ્રહણ નડયુ છે જેના લીધે જૂની ટીમથી કામ લેવુ પડે છે.  જૂથવાદને લીધે ભાજપના કેટલાંય ટોચના નેતાઓમાં મનમેળાપ નથી. આ ઉપરાંત લઘુમતી સહિતના કેટલાંય મોરચાની નિમણુંકો બાકી છે. મોરચામાં નિમણૂંકો મેળવવા હોદ્દેદારો,કાર્યકરો તલપાપડ થઇ રહ્યાં છે, ગોડફાધરો પાસે રજૂઆતો કરી રહ્યાં છે પણ હાઇકમાન્ડ આંતરિક જૂથવાદને લઇને મૂંઝવણ અનુભવી રહ્યું છે.  વિધાનસભાની ટિકિટ આપીશુ તેવુ ગાજર લટકાવી ભાજપના કાર્યક્રમોમાં માત્ર ભીડ એકઠી કરવાની જ કામગીરી કરાવવામા આવી રહી છે. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments