Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈવીએમ મશીન આખી રાત ગાડીમાં પડ્યાં રહ્યાં, બીજા દિવસે સવારો ગામલોકોએ પરત કર્યાં

ઈવીએમ મશીન આખી રાત ગાડીમાં પડ્યાં રહ્યાં  બીજા દિવસે સવારો ગામલોકોએ પરત કર્યાં
Webdunia
સોમવાર, 11 ડિસેમ્બર 2017 (11:33 IST)
નર્મદા જિલ્લાની દેડિયાપાડા વિધાનસભાના કંજાલ ગામે બુથ ઉપર મોકલાયેલું એક ઈવીએમ મશીન રૂટ ઉપર ફાળવેલી જીપમાં જ આખી રાત પડી રહ્યું હતું. બીજા દિવસે તે બાબતની જાણ જીપ માલિકને તથાં આગેવાનોએ સાથે મળીને જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચતું કર્યું હોવાની ઘટના સામે આવી છે. ઘટના બાદ કલેકટરને તપાસના આદેશ કરી જવાબદારો સામે કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું છે. કંજાલ ગામે ફાળવાયેલા મતદાન કેન્દ્રના બુથ 1 ઉપર યોજાયેલા મતદાનમાં બે થી ત્રણ વખત ઈવીએમ ખોટકાયા હોવાની ફરિયાદ ઉઠી હતી.

જેના પગલે મતદાનમાં વિલંબ થયો હતો. આખરે ઝોલન અધિકારીને ઈવીએમ ખોટકાયા અંગેની ફરિયાદ કરવામાં આવતાં બાદમાં રાત્રે 9 વાગ્યા સુધી મતદાન ચાલ્યુ હતું. મતદાન પૂર્ણ થયાં બાજ બુથ ઉપર ફરજ બજાવી રહેલાં કર્મીઓ દ્વારા રાત્રે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ સ્ટ્રોંગ રૂમ ખાતે તમામ સામગ્રી પરત કરી હતી. જોકે કંજાલ બુથ ઉપર ઈવીએમ બદલ્યા પછી તે ઈવીએમ ઝોનલ ઓફિસરને ફાળવેલી ક્રુઝર જીપ નંબર જીજે - 22, યુ- 1973માં જ રહી ગયું હતું. બીજા દિવસે રવિવારે જીપના માલિક પોતાના નિત્યક્રમ મુજબ જીપ સાફ કરી રહ્યા હતા. ત્યારે પાળછની સીટના ભાગે ઈવીએમ અને વીવીપેટ મશીન પડેલું હોવાથી ચોંકી ઉઠ્યા હતા. બાદમાં તેમણે ગામલોકોને જાણ કરતાં આગેવાનો સહિત બોગજ ગામના ચૈતરભાઈ વસાવા અને કંજાલ ગામના ભીખાભાઈ સહિતના આગેવાનો આ મશીન લઈને દેડિયાપાડા પ્રાંત કચેરીએ આવ્યા હતા. પરંતુ રવિવાર હોવાથી પ્રાંત ઓફિસ બંધ હોઈ જિલ્લા કક્ષાએ ઘટનાની જાણ કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરીએ જઈને અધિકારીની હાજરીમાં ઈવીએમ પરત કર્યું હતું. આ રિઝર્વ મશીન હતું. તેમાં કોઈ મતદાન થયું નથી. મશીનની ખરાઈ કરવામાં આવી છે. જોકે ફરજ પરના કર્મીઓ-અધિકારીઓની ભૂલ ચોક્કસ થઈ છે. સમગ્ર ઘટનામાં તલસ્પર્શી તપાસ કરવામાં આવશે. તેમાં જવાબદાર અધિકારી-કર્મચારી સામે યોગ્ય પગલાં લેવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ત્વચાની સારી સંભાળ માટે આ હર્બલ ફેસ મિસ્ટ બનાવો

ડુંગળી અને લસણ વગરની સ્વાદિષ્ટ મખાના કોફ્તા ગ્રેવી તૈયાર કરો, આ રહી વાયરલ રેસીપી.

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments