rashifal-2026

Modi sold tea or not મોદીએ વડનગરમાં સ્ટેશન વગર ચા કેવી રીતે વેચી ? જાણો હકીકત

Webdunia
સોમવાર, 23 ઑક્ટોબર 2017 (16:06 IST)
સોશિયલ મીડિયા પર એક તસ્વીરને શેયર કરતા પીએમ મોદીને સવાલ પૂછતા એ સાબિત કરવાની કોશિશ કરવામાં આવી રહી છેકે પીએમ મોદીનો વડનગર રેલવે સ્ટેશન પર ચા વેચવાનો દાવો ખોટો છે. વાયરલ તસ્વીરમાં સવાલ પૂછવામાં આવ્યો છે.. 'તમારો (નરેન્દ્ર મોદી) જન્મ 1950માં થયો અને વડનગરમાં 1973માં ટ્ર્રેન ચાલી.. ત્યારે તમે 23 વર્ષના હતા. 20ની વયમાં તમે ઘર છોડી દીધુ તો તમે ચા ક્યારે વેચી હતી ? આ તસ્વીર ઉપરાંત પણ સોશિયલ મીડિયા પર અનેક લોકો જુદા જુદા પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. 
 
સોશિયલ મીડિયા પર વાયરલ તસ્વીર 
 
અમે આ દાવો તો નથી કરતા કે પીએમ મોદીએ વડનગર રેલવે સ્ટેશન પર ક્યારેય ચા વેચી હતી પણ આ તસ્વીરના માધ્યમથી ફેલાવવામાં આવી રહેલ ઝૂઠાણાના તથ્ય વિશે તમને જરૂર બતાવીશુ. અસલી સવાલ એ છે કે શુ 1973 પહેલા વડનગર રેલવે સ્ટેશન નહોતુ ? આ સવાલનો જવાબ જાણવા માટે અમે પડતાલ શરૂ કરી તો અમને પશ્ચિમી રેલવેની વેબસાઈટ પર પહોંચ્યા. જ્યા ભારતીય રેલવેના ઈતિહાસ નામના પીડીએફમાં અમે જોયુ કે મેહસાણાથી વડનગર વચ્ચે એક રેલવે લાઈન પણ હતી અને આ લાઈન 21 માર્ચ 1887 ના રોજ ખુલી હતી. રેલવેની પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.. 
 
રેલવેના દસ્તાવેજ મુજબ વડનગરમાં રેલવેનો ઈતિહાસ 
 
આગળની પડતાલમાં અમે માહિતી મેળવીકે અંગ્રેજી શાસન દરમિયાન વેપાર માટે ગુજરાતના અનેક જીલ્લામાં રેલવે લાઈન પાથરવામાં આવી. તેમા વડનગરની રેલવે લાઈન પણ હતી. એક અન્ય સોર્સ મુજબ આ રેલવે લાઈન વડોદરા સ્ટેટ દ્વારા ગાયકવાડના રાજમાં બનાવાઈ હતી. વડોદરા કપાસના ઉત્પાદનમાં આગળ હતુ.. અને ગાયકવાડને લાગ્યુ કે અમેરિકી નાગરિક યુદ્ધને કારણે પુરવઠો મોકલવામાં અવરોધ દરમિયાન ઈગ્લેંડના બજારોમાં કપાસની આપૂર્તિ કરી શકાય છે. 
 
 
આ ઉપરાંત વડનગરના એક પ્રાચીન નગર નામના બ્લોગમાં દાવો કરવામાં આવ્યો છે કે 1893માં વડનગર સ્ટેશન પાસે એક એંગ્લો-વર્નેક્યૂલર સ્કુલ પણ ખોલવામાં આવી હતી. મતલબ સ્ટેશન પહેલાથી જ હાજર હતુ.. શોઘગંગા વિશ્વવિદ્યાલયના શોઘકર્તા દ્વારા લખવામાં આવેલ લેખોનો ઓનલાઈન સંગ્રહ છે. આ સાઈટ પર ઉપલબ્ધ એક થીસિસમાં પણ આ સ્કૂલનો ઉલ્લેખ છે. 
 
 
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા આ સવાલને પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટે પણ ઉઠાવ્યો હતો. 
 
સંજીવ ભટ્ટનુ ટ્વીટ 
 
પણ અમારા પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો.. જેમા કહેવામાં આવ્યુ કે વડનગરમાં પહેલી ટ્રેન 1973માં આવી. ઐતિહાસિક તથ્યો મુજબ વડનગરમાં 1973ના ઘણા પહેલા જ રેલવે લાઈન બની ચુકી હતી અને ત્યા સ્ટેશન પણ હતુ. જો કે આ વાતનુ પ્રમાણ  મળ્યુ નથી કે મોદીએ સ્ટેશન પર ચા વેચી હતી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Railways Interesting Facts - ટ્રેનમાં મળનારી ચાદર હંમેશા સફેદ રંગની જ કેમ હોય છે, લાલ-પીળી કે ભૂરી કેમ નથી હોતી, કારણ તમને ચોંકાવી દેશે

B.R. Ambedkar Quotes- બાબા સાહેબ આંબેડકરના Top 21 સુવિચારો

શું તમને વારંવાર કબજિયાત થઈ જાય છે ? તો રાહત મેળવવા અજમાવો દાદીમાના આ ઘરેલું ઉપાયો

Hot Water - ઠંડુ નહીં ગરમ પાણી પીવો, આ 14 ફાયદા જાણીને ચોંકી જશો

Palak Kofta Recipe- પાલકની જ ભાજી ખાવાથી કંટાળી ગયા છો, તો ક્રિસ્પી પાલક કોફતા બનાવો, તેલમાં તળ્યા વિના કેવી રીતે બનાવશો તે જાણો?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - છોકરીઓ પારકી થાપણ તો છોકરાઓ ?

ગુજરાતી જોક્સ - મંદિરમાં પૂજારી પુરૂષ કેમ ?

Winter Travel in India: શિયાળામાં ફરવા લાયક રમણીય સ્થળો, જે તમને આપશે પરફેક્ટ વેકેશન વાઈબ્સ

Sara Khan: રામાયણના લક્ષ્મણની વહુ બની સારા ખાન, 4 વર્ષ નાના કૃષને બનાવ્યો જીવનસાથી

Dhurandhar Review: પાકિસ્તાનના આતંક અને લુંટારૂઓનો બહાદુરીથી સામનો કરતા ભારતના ધુરંધર, રણવીર સિંહનો આ અવતાર તોડી નાખશે બધા રેકોર્ડ ?

આગળનો લેખ
Show comments