Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપે અડવાણી-આનંદીબહેન જેવા વરિષ્ઠ નેતાઓનું પત્તુ કાપી નાંખ્યું

Webdunia
મંગળવાર, 28 નવેમ્બર 2017 (12:50 IST)
ભાજપ તેના વરિષ્ઠ નેતાઓને ક્યારેય યોગ્ય સન્માન આપી શકતું નથી. આ જ કારણ છે કે લાલકૃષ્ણ અડવાણી, ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ જેવા અનેક નેતાઓ કે જેમણે ભાજપને ખૂબ જ યોગદાન આપ્યું હોવા છતાં તેમને હાંસિયામાં ધકેલી દીધા છે આવા નિવેદન સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપસિંહ સૂરજેવાલાએ ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યો છે. આજે સુરજેવાલાએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સામે સવાલો પણ પૂછ્યા છે. જેમાં તેમણે સૌપ્રથમ એવો સવાલ પૂછ્યો છે કે, 'શૌર્ય ડોભાલ-ઇન્ડિયા ફાઉન્ડેશન-ભારત સરકારના ચાર મંત્રિઓની ડાયરેક્ટરશિપ અંગે મૌન શા માટે?

શું ભારત સરકારના એક મંત્રી એવી કોઇ ખાનગી સંસ્થાના ડાયરેક્ટર રહી શકે છે, જે એવી કંપનીઓ પાસેથી સ્પોન્સરશિપ લે છે જેમને મંત્રીઓના વિભાગ સાથે સંબંધ છે. આ ઉપરાંત જીએસપીસીના રૃ. ૨૦ હજાર કરોડના કૌભાંડ મુદ્દે પણ મૌન શા માટે? નરેન્દ્ર મોદીના નાક નીચેથી રૃ. ૧૯૧૭૬ કરોડનું નુકસાન ભાજપને કેવી રીતે થયું? દેશના ભાગેડૂ લલિત મોદી મુદ્દે પણ ચૂપકિદી શા માટે? સુષ્મા સ્વરાજનાં પતિ સ્વરાજ કૌશલ, તેમની પુત્રી બાંસુરી લાંબા સમય સુધી લલિત મોદીના વકીલ નહોતા? સુષ્મા સ્વરાજે બ્રિટન સરકારને ભલામણ કરીને લલિત મોદીને આંતરરાષ્ટ્રીય યાત્રાના દસ્તાવેજ નથી અપાવ્યા? આ ઉપરાંત વ્યાપમ્, અરૃણાચલ ડેમ કૌભાંડ, પેરાડાઇઝ પેપર્સના મુદ્દે પણ ભાજપ સરકારની ચૂપકિદી દર્શાવે છે કે તેઓ આંખ આડા કાન જ કરવામાં માને છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments