Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતની પ્રજા વંશવાદને નહીં પણ વિકાસને સમર્થન આપશે: અમિત શાહ

Webdunia
બુધવાર, 22 નવેમ્બર 2017 (13:01 IST)
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે આ વિધાનસભાની ચૂંટણી અંગે રાહુલ ગાંધીને આડે હાથ લઈ જણાવ્યું હતું કે ગુજરાતની જનતાને પહેલા તમે કેન્દ્રની કૉંગ્રેસની ૧૦ વર્ષની સરકારનો હિસાબ આપો. આ ચૂંટણીએ ભાજપના વિકાસવાદ માટે કૉંગ્રેસમાં વંશવાદ -જાતિવાદ વચ્ચેની ચૂંટણી હોવાનું જણાવ્યું હતું. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ભાવનગર આવ્યા હતા. પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી સહિત ભાજપના ઉમેદવારના સમર્થનમાં ગુલિસ્તા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી વિરાટ સભામાં બોલતા અમિત શાહે ગુજરાતની જનતાને ૧પ૦ બેઠકો આપી નરેન્દ્ર મોદીના વિકાસ કામોને સમર્થન આપવા હાકલ કરી હતી.

રાષ્ટ્રીય પ્રમુખે જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં કૉંગ્રેસ પાસે કોઈ મુદ્દો જ નથી. રાહુલ ગાંધીએ ગુજરાત એક પર્યટક સ્થળ હોય તેમ ત્રણ-ત્રણ દિવસે ગુજરાત આવે છે અને માત્ર વડા પ્રધાન મોદી વિરુદ્ધ પ્રચાર કરે છે. રાહુલ ગાંધીને ખુલ્લા મેસેજ આપતા અમિત શાહે જણાવ્યું હતું કે તમો ગુજરાતમાં ભલે આવો, પરંતુ ૧૦ વર્ષ કૉંગ્રેસ (યુ.પી.ઓ.)ની કેન્દ્ર સરકારે ગુજરાતને શું આપ્યુ ? તેનો હિસાબ તો આપો. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી ગુજરાતને જે લાભો આપ્યા છે તે અંગે વિસ્તૃત માહિતી આપી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ ગુજરાત ભાજપ વિકાસને મુદ્દો બનાવે છે. જ્યારે કૉંગ્રેસ વંશવાદ અને જાતિવાદને પ્રોત્સાહન આપે છે. વિધાનસભાની ચૂંટણીમાં અગાઉની જેમ જ ભાજપને પ્રચંડ સમર્થન આપવા અમિત શાહે ભાવનગર ખાતેથી રાજ્યની જનતાને અપીલ કરી હતી. દરમિયાન પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી સામે છેલ્લા કેટલાય સમયથી ચાલતું કારડિયા રાજપૂત સમાજનું આંદોલન અમિતભાઈ શાહની મધ્યસ્થીથી સમેટાઈ ગયુ હતું અને કારડિયા રાજપૂત સમાજના આગેવાનોએ પણ જીતુ વાઘાણી અને ભાજપના સમર્થનમાં લાગી જવા જણાવ્યું હતું. ભાવનગરમાં સભા પહેલા વિશાળ રોડ-શો યોજાયો હતો. ભાવનગરનો રોડ શો અને ભવ્ય સભાથી રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે ભાવનગરનો આભાર માન્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments