ભારતમાં ખાવા પીવાની ટેવો પર મોટાભાગે ચર્ચા કરવામાં આવે છે. કયા રાજ્યમાં લોકો શુ ખાવુ પસંદ કરે છે કે કયા રાજ્યમાં કયા પકવાન જાણીતા છે. આ હંમેશા ચર્ચાનો વિષય રહે છે. આ ચર્ચા વચ્ચે શાકાહાર અને માંસાહારને લઈને પણ વાતો થાય છે.
ખાવાપીવાની ટેવોના હિસાબથી ભારતમાં લગભગ 70 ટકા લોક માંસાહારી છે. રાજ્યવાર આંકડાઓથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશુ કે ક્યા કેટલા ટકા શાકાહારી ભોજન બને છે અને કેટલા ટકા માંસાહારી.
પશ્ચિમ બંગાળ જેવા પ્રદેશમાં માંસાહાર કરનારાઓની ટકાવારી સૌથી વધુ છે. સૈપલ રેજિસ્ટ્રેશન સિસ્ટમ બેસલાઈન સર્વેના આંકડા મુજબ અહી કુલ 98.55 ટકા લોકો માંસાહારી છે. બીજી બાજુ રાજસ્થાનમાં 74 ટકા લોકો શાકાહારી છે.
જુઓ આ ગ્રાફ જે રાજ્યવાર બતાવી રહ્યો છે કે ક્યા કેટલા ટકા લોકો શાકાહારી અને માંસાહારી છે.