Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદીને લઈને મુસલમાનોનો ભય ખતમ થઈ જશે - અમિત શાહ

Webdunia
સોમવાર, 28 એપ્રિલ 2014 (10:57 IST)
મોદીના નિકટના અમિત શાહે કહ્યુ કે એકવાર મોદી પીએમ બની જાય ત્યારે તેમના વિશે મુસલમાનોની આશંકાઓ સમાપ્ત થઈ જશે. મોદીના ખૂબ જ નિકટના કહેવાતા અમિત શાહે આ આલોચનાઓને નકારી છે કે મોદીનુ કદ પાર્ટીથી મોટુ થઈ ગયુ છે.  તેમણે કહ્યુ કે મોદી અને પાર્ટી એકબીજાથી અલગ નથી. 
 
તેમણે કહ્યુ કે જો મોદી પીએમ બનશે તો કોઈએ ગભરાવવાની જરૂર નથી. જેવો ભ્રમ કોંગ્રેસ અને કેટલાક અન્ય દળ ફેલાવી રહ્યા છે. શાહે કહ્યુ જો મોદીજી પીએમ બનશે તો શાસનના પોતાના આધાર પર આ આશંકાઓનુ સમાધાન કાઢવામાં આવશે.  એ પહેલા આ શક્ય નથી. મીડિયામાં લાંબા સમયથી ચાલી રહેલ આ આશંકાઓ વધુ વિસ્તૃત થઈ ગઈ છે. 
 
શાહે કહ્યુ 'જ્યારે મોદીજી પીએમ બનશે તો તેમની અને તેમના સરકારના વ્યવ્હારના માધ્યમથી આવો ભય સમાપ્ત થઈ જશે. ' શાહે કહ્યુ કે વારાણસીની રેલીમાં અન્ય લોકોની સાથે મોટી સંખ્યામાં મુસલમાનોએ મોદીનુ ખુલા મનથી સ્વાગત કર્યુ અને તેમને માટે પાર્ટી પવિત્ર નગરના લોકોની આભારી છે. 
 
મોદી લહેર વિશે એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યુ લહેર ભાજપા અને મોદી બંને માટે છે. મોદી લહેર અને ભાજપા લહેર આ મીડિયાની ઉપજ છે. તમે મોદી અને ભાજપાને અલગ નથી કરી શકતા. આપ તેમને કેવી રીતે અલગ કરી શકો છો. તેઓ પીએમ પદ માટે ભાજપા ઉમેદવાર છે. ભાજપાએ તેમને ચૂંટણીનુ નેતૃત્વ કરવા પસંદ કર્યા છે. 

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments