Webdunia - Bharat's app for daily news and videos

Install App

બિનસાંપ્રદાયિકતા અમારા લોહીમાં છે - મોદીનો ફારુક પર પલટવાર

Webdunia
સોમવાર, 28 એપ્રિલ 2014 (15:27 IST)
નરેન્દ્ર મોદીને વોટ આપવા અંગે નેશનલ કૉન્ફરન્સનાં નેતા ફારુક અબ્દુલ્લાનાં વિવાદાસ્પદ નિવેદન પર ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર  નરેન્દ્ર મોદીએ પલટવાર કર્યો. મોદીએ કહ્યુ કે અબ્દુલ્લા પરિવારને કારણે જમ્મૂ-કાશ્મીર બરબાદ થયુ છે.  અબ્દુલ્લા પરિવારે કાશ્મીરની ધરતીને કોમી રંગ આપવાનું કામ કર્યુ. અને ધર્મનાં આધારે કાશ્મીરની ધરતી પરથી પંડિતોને હટાવવામાં આવ્યા. જેના માટે જવાબદાર અબ્દુલ્લા પરિવારની રાજનીતિ છે. મોદીએ કહ્યુ કે બિનસાંપ્રદાયિકતા ભારતવાસીઓનાં લોહી છે. ભારત સમગ્ર વિશ્વને પરિવાર માને છે. અને ભારતમાં સૌથી વધુ જો બિનસાંપ્રદાયિકતાને નુકશાન થયુ હોય તો તે જમ્મૂ-કાશ્મીરમાં થયુ છે. જેના માટે અબ્દુલ્લા પરિવાર જવાબદાર છે. અને કાશ્મીરનાં પંડિતોને કાશ્મીરમાંથી હટાવનારા કયા મોઢે બિનસાંપ્રદાયિકતાની વાત કરે છે.
 
જ્યારે ભાજપ નેતા અરુણ જેટલીએ કહ્યુ કે ફારુક અબ્દુલ્લા જમ્મૂ-કાશ્મીરમાં સેક્યુલરિઝમની રક્ષા નથી કરી શક્યા. તેમણે જાતે દાલ લેકમાં ડૂબી જવુ જોઇએ.
 
નોંધનીય છે કે શનિવારે ફારુક અબ્દુલ્લાએ ચૂંટણી સભામાં ભાજપ નેતા ગિરિરાજ સિંહનાં નિવેદન પર ટિપ્પણી કરી અને વિવાદ થયો. ફારુકે કહ્યુ કે જે મોદીને વોટ આપે છે તેમણે સમુદ્રમાં ડૂબી મરવુ જોઇએ.
 
ફારુકનાં આ નિવેદન પર પલટવાર કરતા જેટલીએ કહ્યુ કે આજનાં સમયમાં સેક્યુલરિઝમની સૌથી વધુ ખરાબ પરિસ્થિતી જમ્મૂ-કાશ્મીરમાં છે. તેમણે તો દાલ લેકમાં ડૂબી મરવુ જોઇએ.

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments