Webdunia - Bharat's app for daily news and videos

Install App

નરેન્દ્ર મોદી કર્મભૂમિને ત્યજીને ધર્મભૂમિને પોતીકી કરશે ?

Webdunia
શુક્રવાર, 9 મે 2014 (15:00 IST)
લોકસભાની ચૂંટણીનો જંગ અંતિમ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે વડોદરા અને વારાણસી બેઠક પરથી ચૂંટણી લડનાર ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી જો બંનેય બેઠકો પરથી ચૂંટણી જીતશે તો કઈ બેઠક ખાલી કરશે? તે અંગે અટકળો પેદા થઈ છે.

ઉત્તર પ્રદેશ સહિત પૂર્વોત્તર રાજ્યોમાં ભાજપને મજબૂત કરવા, નરેન્દ્ર મોદીને ભાજપે વારાણસીથી ચૂંટણીમાં ઉતાર્યા હતા. બીજી તરફ ભાજપનો મજબૂત કિલ્લો ગણાતી વડોદરા લોકસભા બેઠક પરથી નરેન્દ્ર મોદીએ ચૂંટણી લડવાનું મક્કમતાથી મન મનાવી લીધું હતું. વડોદરા શહેર નરેન્દ્ર મોદીની કર્મભૂમિ છે.

આથી વડોદરા અને વારાણસી બંનેય બેઠકો પરથી નરેન્દ્ર મોદી જીતશે તો નરેન્દ્ર મોદી કર્મભૂમિને ત્યજીને ધર્મભૂમિને પોતીકી કરશે ? તેવો સવાલ ચર્ચાની એરણે ચઢ્યો છે.

નરેન્દ્ર મોદી વડા પ્રધાનપદના દાવેદાર હોવાથી આગામી તા. ૧૬મી મેના રોજ મતગણતરી બાદ ચિત્ર સ્પષ્ટ થયા પછી ગુજરાતના સિંહ ગણાતા નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્ય તેમની જન્મભૂમિ તથા આરએસએસના કાર્યકાળ દરમિયાન તેમની કર્મભૂમિ બનેલા વડોદરા શહેરને વહાલું રાખીને ગુજરાતમાંથી ગુલઝારીનંદા, મોરારજી દેસાઈ પછી ભાજપમાંથી ગુજરાતી તરીકે વડા પ્રધાનપદ સ્વીકારશે તેવું રાજકીય પંડિતોનું માનવું છે.

જો નરેન્દ્ર મોદી વડા પ્રધાનપદે બિરાજશે ત્યાર પછી ગુજરાત રાજ્યના સુકાન માટે સૌરભ પટેલ, આનંદી પટેલ, નીતિન પટેલ અને અમિત શાહ પ્રબળ દાવેદાર છે. વડોદરા લોકસભા બેઠકના વાલી તરીકે સૌરભ પટેલ ન.મો.ના વિશ્ર્વાસુ છે તેમજ આનંદીબહેન પટેલ પણ મોદી કેમ્પના છે જ્યારે અમિત શાહને પણ મોદીનું પીઠબળ છે. જ્યારે નીતિન પટેલ પાર્ટીના વફાદાર સિનિયર નેતા છે. આ બધાની વચ્ચે મોદી લોકસભાની બે બેઠક પરથી કઈ બેઠક જાળવી રાખશે તે અંગે રાજકીય અટકળો વહેતી થઈ છે.

 

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments