Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણેશજીના આ મંદિરમાં દર્શન માટે આવો અને જેવુ જોઈએ તેવુ ઘર મેળવો

Webdunia
ગુરુવાર, 28 ઑગસ્ટ 2014 (15:00 IST)
દરેક વ્યક્તિનુ સપનું હોય છે કે તેનુ પોતાનુ ઘર હોય. આ સપનુ પુરૂ કરવા માટે ખૂબ મહેનત કરવામાં આવે છે. પણ છતા પણ લોકો પોતાનુ મકાન બનાવવામાં સફળ થતા નથી. જૈસલમેર જીલ્લાથી બાર કિલોમીટર દૂર ચૂંધિ સ્થાન પર ગણેશજીનું મંદિર છે. આ મંદિરમાં આવનારા ભક્તો મંદિરની આજુબાજુ વિખરાયેલા પત્થરોથી પોતાનુ મનગમતુ ઘર બનાવે છે અને ગણેશજીને પ્રાર્થના કરે છે કે જેવુ ઘર તેમણે તેમના મંદિરમાં બનાવ્યુ છે એવુ જ ઘર તેમનુ પોતાનુ પણ જલ્દી બનાવી દો.  ગણેશજી પોતાના ભક્તોની પુકાર તરત જ સાંભળીને તેમને પોતાનુ ઘર આપી દે છે.  
 
બુધવારે વિશેષ રૂપે ભક્ત ગણેશજીના મંદિરમા દર્શન માટે આવે છે. ચૂંધિના ગણેશ મંદિરને ચમત્કારી માનવા ઉપરાંત અહી એક અદ્દભૂત ઘટના બને છે. વર્ષાઋતુના દિવસોમાં ગણેશજીનુ મંદિર સ્થાનીક નદીના વહેણથી પાણીમાં ડૂબી જાય છે. મંદિરની ચાર બાજુ પથરીલો વિસ્તાર છે. ગણેશજીની પ્રતિમા સામે મૂષકની મૂર્તિ છે.  
 
મંદિરના બંને બાજુ બે કુંવા સ્થાપિત છે. આ કુંવા વિશે કહેવાય છે કે આ કુંવામાં હરિદ્વારામાં વહેનારી ગંગા માતાનુ પાણી આવે છે. કારણ કે કહેવત છે કે એક શ્રદ્ધાળુ ભક્તના સંબંધી હરિદ્વારમાં ગંગા સ્નન કરી રહ્યા હતા અને તે પોતે ચુંધિના આ કુવા સામે તપસ્યા કરી રહ્યા હતા. સ્નાન કરતી વખતે તેમના સંબંધીના હાથમાંથી કંગન નીકળીને ગંગામાં વહી ગયુ. કંગન વહેતુ વહેતુ ચુંધિમાં આવી ગયુ. એવુ પણ માનવામાં આવે છે કે વર્ષમાં એકવાર આ કુંવામાં ગંગાનું પાણી પ્રાકૃતિક રૂપે આવી જાય છે.  
 
ગણેશજીના મંદિર સામે રામ દરબારનુ મંદિર છે. જેમા શ્રી રામ પોતાની પત્ની સીતા, ભાઈ લક્ષ્મણ અને પોતાના પરમ પ્રિય હનુમાનજી સંગ વિરાજમાન છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના બાળ રૂપમાં પારણાંમાં વિરાજીત છે. મંદિરમાં આવમારા ભક્તો પારણું ઝૂલાવતા રહે છે.  આ મંદિરની એકદમ સામે શિવ મંદિર છે.  
 
વધુ જુઓ..

જરૂર વાંચો

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

વધુ જુઓ..

નવીનતમ

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

Show comments