Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ganesh Chaturthi 2022: ગણેશ ઉત્સવના દસ દિવસોમાં આ વસ્તુઓનો લગાવો ભોગ, બાપ્પા પૂરી કરશે દરેક મનોકામના

Webdunia
મંગળવાર, 23 ઑગસ્ટ 2022 (14:57 IST)
Ganesh Chaturthi 2022 Bhog: ભાદરવા મહિનાની ચતુર્થી તિથિ પર સુખ અને સમૃદ્ધિના દેવતા ભગવાન ગણેશનો જન્મ થયો હતો. આ ઉપલક્ષ્યમાં દર વર્ષે ઉત્સવ ઉજવાય છે. ગણેશ ઉત્સવનો તહેવાર ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી શરૂ થઈને અનંત ચતુર્દશી તિથિના દિવસે સુધી ચાલે છે.  10 દિવસ સુધી ચાલનારો આ ઉત્સવ ખૂબ ધૂમધામથી ઉજવાય છે.  આ દરમિયાન ઘર અને મોટા મોટા પંડાલોમાં ભગવાન ગણેશની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 31 ઓગસ્ટ 2022ના રોજ ઉજવાશે.  આ દિવસથી ગણેશ ઉત્સવ શરૂ થાય છે અને દસ દિવસ પછી એટલે કે અનંત ચતુર્દશના રોજ ગણપતિના વિસર્જન સાથે જ સમાપ્ત કરવામા આવે છે. આ 10 દિવસમાં ગણપતિ બાપ્પાને 10 જુદી જુદી વસ્તુઓનો ભોગ(નૈવેદ્ય) લગાવવામાં આવે છે.  એવુ કહેવાય છે કે આ 10 દિવસ દરમિયાન ગણપતિને પ્રિય વસ્તુઓનો ભોગ લગાવવાથી ગણેશજી પ્રસન્ન થાય છે.  આવો જાણીએ ગણેશ ઉત્સવ દરમિયાન બાપ્પાને કયો ક્યો નૈવેદ્ય અર્પણ કરવો જોઈએ. 
 
 ગણેશ ઉત્સવ પર બાપ્પાને લગાવો આ વસ્તુઓનો ભોગ 
 
- ભગવાન ગણેશને મોદક ખૂબ પ્રિય છે. આવી સ્થિતિમાં ભગવાન ગણેશની જન્મજયંતિના દિવસે મોદક ચઢાવો. તેનાથી જલ્દી જ બાપ્પા ખુશ થશે.
-  માન્યતાઓ અનુસાર, ગણેશ ઉત્સવના બીજા દિવસે ભગવાન ગણપતિને મોતીચૂરના લાડુ ચઢાવવા શ્રેષ્ઠ છે.
-  ત્રીજા દિવસે દંત દયા વંતની પૂજામાં ચણાના લોટના લાડુ સામેલ કરવા જોઈએ.
- ભગવાન ગણેશને કેળા અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. તેથી ગણેશ ઉત્સવ દરમિયાન પ્રસાદમાં કેળાના ફળ જરૂર સામેલ કરવા જોઈએ.
- ગણેશજીને મખાણાની ખીર ભાવે  છે. આથી તેમને પ્રસાદ તરીકે મખાણાની ખીર ચઢાવો.
-  ગણેશજીની પૂજામાં નારિયેળ અવશ્ય સામેલ કરવું.
 - વિઘ્ન વિનાશક ગણેશની પૂજામાં સૂકા મેવાનાના લાડુ ચઢાવો.
-  એવું માનવામાં આવે છે કે દૂધથી બનેલો કલાકંદ ભગવાન ગણેશને ખૂબ જ પ્રિય છે. પૂજામાં કલાકંદનો ભોગ લગાવો. 
- ભગવાન લંબોદરને કેસરમાંથી બનાવેલ શ્રીખંડનો નૈવેદ્ય તરીકે ભોગ લગાવો.   
 
આ ઉપરાંત, તમે વિવિધ પ્રકારના મોદક અર્પિત કરીને બાપ્પાને ખુશ કરી શકો છો.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Curry Leaves Benefits: જો તમે રોજ સવારે ખાવ છો કઢી લીમડાના પાન તો મળશે આ ગજબના ફાયદા

BR Ambedkar Quotes in Gujarati - ડૉ. ભીમરાવ આંબેડકરના અમૂલ્ય વિચારો

રોજ પીવો કાળી દ્રાક્ષનું જ્યુસ, તમારા લટકતા પેટથી મળશે છુટકારો

Raw Mango Launji કેરી ની લૌંજી ની રેસીપી

પત્ની માટે રોમાંટિક શાયરી

વધુ જુઓ..

નવીનતમ

Hanuman Janmotsav Upay 2025: હનુમાન જયંતિ પર કરો આ ઉપાય, મંગલ દોષથી લઈને કર્જથી પણ મળશે મુક્તિ, મનોકામના થશે પુરી

Hanuman Janmotsav 2025: આજે હનુમાન જન્મોત્સવ છે, કેવી રીતે કરશો બજરંગબલીની પૂજા, જાણો શુભ મુહૂર્ત અને મંત્ર

Hanuman chalisa - જો આ રીતે વાંચશો હનુમાન ચાલીસા તો નહી મળે લાભ

મૃત્યુ ભોજન કરવું યોગ્ય કે ખોટુ?

Hanuman Janmotsav: હનુમાન જન્મોત્સવ પર રાશિ મુજબ 108 વાર કરો આ મંત્રનો જાપ, મનોકામના થશે પૂરી

આગળનો લેખ
Show comments